Gujarati News

Gujarati News

News of Friday, 12th August 2022

થાનના હરેશભાઇ સાગઠીયાનું ઝાડા-ઉલ્ટી થયા બાદ મોત

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દમ તોડ્યોઃ તબિબ-સ્ટાફે ધ્યાન ન દીધાનો આક્ષેપ

રાજકોટ તા. ૧૨: થાનગઢમાં તરણેતર રોડ પર વાસુકી મંદિર પાસે રહેતાં હરેશભાઇ મુળજીભાઇ સાગઠીયા (ઉ.વ.૪૨) નામના યુવાનને ગઇકાલે સવારે ઝાડા-ઉલ્ટી થઇ જતાં થાન પ્રાઇવેટ ડો. મિતુલભાઇને ત્યાં સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ ગત મોડી રાતે દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

હોસ્પિટલ ચોકીના કલ્પેશભાઇ સરવૈયાએ જરૃરી કાર્યવાહી કરી થાન પોલીસને જાણ કરી હતી. મૃત્યુ પામનાર હરેશભાઇ  બે ભાઇ અને બે બહેનમાં મોટા હતાં અને સિરામીકમાં નોકરી કરતાં હતાં. સંતાનમાં બે પુત્ર છે. પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે સિવિલ હોસ્પિટલમાં હરેશભાઇને લાવ્યા બાદ વોર્ડમાં તબિબ સહિતના સ્ટાફે સારવારમાં યોગ્ય ધ્યાન આપ્યું નહોતું.

(3:42 pm IST)