Gujarati News

Gujarati News

News of Friday, 12th August 2022

પોરબંદરમાં ભૂપેન્દ્રભાઇ પટેલની ઉપસ્થિતિમાં કાલે તિરંગા યાત્રા

આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી હેઠળ તિરંગા યાત્રાનું આયોજન : અતિથિ વિશેષ પદે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ તથા મુખ્ય મહેમાન પદે ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઇ સંઘવી હાજર રહેશે

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા. ૧૨ : આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી હેઠળ આવતીકાલે યોજાનાર તિરંગા યાત્રામાં અતિથિવિશેષ પદે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ ઉપસ્થિત રહેશે. મુખ્ય મહેમાન પદે ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઇ સંઘવી હાજર રહેશે.

જિલ્લા વહીવટી તંત્ર સાંદિપની વિદ્યાનિકેતન વી.જે.મોઢા કોલેજ તથા ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી હેઠળ તિરંગા યાત્રાનું આવતીકાલે તા. ૧૩મીએ શનિવારે બપોરે ૪ વાગ્યે સુદામા ચોકથી આયોજન કરેલ છે.

આ તિરંગાયાત્રા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઇ સંઘવી ઉપસ્થિત રહેશે. તિરંગા યાત્રા શહેરના મુખ્યમાર્ગો ઉપરથી ફરીને પરત સુદામા ચોકમાં આવશે ત્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ જાહેરસભાને સંબોધન કરશે

(1:51 pm IST)