Gujarati News

Gujarati News

News of Thursday, 12th August 2021

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી હવે ૪૮ પેઈજની ઉત્તરવહી આપશે

રાજકોટ, તા. ૧૨ : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરીક્ષા વિભાગે ઉત્તરવહીની જગ્યામાં પરીક્ષાર્થીઓ ખૂબ બગાડ કરતા હોય યુનિવર્સિટીએ હવે વિદ્યાર્થીઓને સ્વૈચ્છિક રીતે યોગ્ય ઉપયોગ કરવા સુચન કર્યુ છે.

જાણવા મળતી વિગતો મુજબ ૧૭મી ઓગષ્ટથી શરૂ થનારી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષામાં હવે ૨૪ ને બદલે ૪૮ પેઈજની ઉત્તરવહી વિદ્યાર્થીઓને આપવામાં આવશે. યુનિવર્સિટીમાં લાંબા સમયથી પડતર રહેલી ૪૮ પેઈજની ૬૦ હજાર ઉત્તરવહીનો રેમેડીયર પરીક્ષામાં ઉપયોગ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. 

(4:00 pm IST)