Gujarati News

Gujarati News

News of Thursday, 12th August 2021

આનંદનગર કોલોનીમાં આર્થિક સંકડામણથી કંટાળી વેપારી વિનોદભાઈનો ઝેર પી આપઘાત

મકાન પર લીધેલી લોન પણ ચાલુ હતીઃ બે પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવી

રાજકોટ, તા. ૧૨ :. કોઠારિયા રોડ આનંદનગર કોલોની કવાર્ટરમાં રહેતા કરિયાણાના વેપારીએ આર્થિક સંકળામણથી કંટાળી ઝેરી દવા પી આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઈ છે.

મળતી વિગત મુજબ આનંદનગર કોલોની કવાર્ટર નં. ૫૪માં રહેતા વિનોદભાઈ રતીલાલભાઈ તન્ના (ઉ.વ. ૫૫) એ પોતાના ઘરે ઘઉંમા નાખવાનો પાઉડર પી લેતા તેને સારવાર માટે ખાનગી હોસ્પીટલમાં ખસેડાયા હતા, ત્યાં તેનુ સારવાર દરમ્યાન મોત નિપજ્યુ હતુ. મૃતક વિનોદભાઈ કેવડાવાડીમાં કરિયાણાની દુકાન ચલાવતા હતા. તેણે પોતાના મકાન ઉપર લોન પણ લીધી હતી. તેણે આર્થિકભીંસના કારણે આ પગલુ ભર્યુ હોવાનુ જાણવા મળ્યુ છે. આ બનાવ અંગે ભકિતનગર પોલીસ મથકના હેડ કોન્સ. પ્રકાશભાઈએ તપાસ હાથ ધરી છે.

કોઠારિયા સોલવન્ટમાં યુવાને ઝેરી દવા પી લીધી

કોઠારિયા સોલવન્ટમાં શીતળા ધારમાં રહેતા દિનેશભાઈ પિતાંબરભાઈ મઢવી (ઉ.વ. ૪૦) એ પોતાના ઘરે ઉંદર મારવાની દવા પી લેતા તેને સારવાર માટે સિવિલ હોસ્પીટલમાં ખસેડાયા છે. આ અંગે આજીડેમ પોલીસે તપાસ હાથ ધરી છે.

(3:47 pm IST)