Gujarati News

Gujarati News

News of Thursday, 12th August 2021

રાજકોટના જાણીતા ફીઝીશ્યન ડો. યોગેન્દ્ર માંકડનું દુઃખદ નિધન

રાજકોટ : સૌરાષ્ટ્રના જુની પેઢીના જાણીતા જનરલ ફીજીશ્યન ડો. યોગેન્દ્ર માંકડનું વોકહાર્ટ હોસ્પિટલમાં સારવાર દરમિયાન ગઇકાલે હૃદય રોગના તીવ્ર હુમલામાં દુઃખદ નિધન થયુ હતું.

શહેરના એસ્ટ્રોન ચોક નજીક કિલનીક ધરાવતા ડો. યોગેન્દ્રભાઇ માંકડ (ઉ.વ.૭૯) ની છેલ્લા કેટલાક સમયથી હૃદય-કીડનીની સારવાર સ્ટર્લિંગ હોસ્પિટલમાં ચાલતી હતી ગઇકાલે વધુ સારવાર માટે વોકહાર્ટ હોસ્પિટલમાં લઇ આવેલ હતા. જયાં તેમની સારવાર દરમિયાન હૃદય રોગના તીવ્ર હુમલો આવતા દુઃખદ નિધન થયું છે. ડો. યોગેન્દ્ર માંકડના નિધનના સમાચારથી તબીબી આલમમાં શોકનું મોજું ફેલાયું છે.ગઇકાલે તેમની અંતિમ યાત્રામાં વિવિધ ક્ષેત્રના આગેવાનોએ પુષ્પાંજલી અર્પણ કરી શ્રધ્ધાંજલી અર્પી હતી. 

(12:57 pm IST)