Gujarati News

Gujarati News

News of Monday, 12th July 2021

જગન્નાથજીને પદાધિકારીઓની પ્રાર્થના : કોરોના મુકત થઇએ, મેઘકૃપા વરસતી રહે

શહેરીજનોને અષાઢીબીજની શુભેચ્છા પાઠવતા પ્રદિપ ડવ, ડો.દર્શિતાબેન શાહ, પુષ્કર પટેલ, વિનુ ઘવા તથા સુરેન્દ્રસિંહ વાળા

રાજકોટ,તા. ૧૨ : અષાઢી બીજના શુભ અવસરે શહેરીજનોને તેમજ રાજકોટમાં રહેતા તમામ કચ્છના ભાઇ-બહેનોને નવા વર્ષની શુભકામના મેયર સહિતના પદાધિકારીએ પાઠવી છે.

મેયર ડો.પ્રદિપ ડવ, ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલ, શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, અને દંડક સુરેન્દ્રસિંહ વાળાએ શુભકામના પાઠવતા જણાવ્યું હતુ કે, આજરોજ આષાઢી બીજના શુભ અવસરે શહેરીજનોને તથા રાજકોટ શહેરમાં રહેતા કચ્છના તમામ ભાઈ-બહેનોને નવા વર્ષની હ્રદયપૂર્વક શુભકામના. શહેર કોરોનામુકત શહેર બને તેમજ તમામ શહેરીજનોને આરોગ્ય સારુ રહે ઉપરાંત મેદ્યરાજાની અસીમ કૃપા રહે તેવી આજના શુભ પ્રસંગે ભગવાન જગન્નાથજીને હ્રદયપૂર્વક પ્રાર્થના.

(4:21 pm IST)