Gujarati News

Gujarati News

News of Monday, 12th February 2018

કોંગી ઉમેદવાર કૈલાશ નકુમનો લોકસંપર્ક : ઠેર-ઠેરથી મળી રહેલું જનસમર્થન

રાજકોટ : મહાનગરપાલિકાની વોર્ડ – ૪ની પેટાચુંટણીનો પ્રચાર આરંભ થઇ ચુકયો છે. કોંગ્રેસના ઉમેદવાર કૈલાશ નકુમને જંગી બહુમતીથી જીતાડવા લોકસંપર્કમાં અદભુત જનસમર્થન મળી રહ્યું છે. કોંગ્રેસના ઉમેદવાર કૈલાશ નકુમની પદયાત્રામાં સેકડો કાર્યકરો જોડાયા હતા અને સાથોસાથ રેખાબેન ગજેરા અને સીમીબેન જાદવ સહિતના સાથે રહ્યા હતા અને પદયાત્રામાં દ્યરે-દ્યરેથી મીઠો આવકાર મળી રહ્યો હતો. વોર્ડ- ૪માં કોન્ગ્રેસના સ્વર્ગસ્થ કોર્પોરેટરશ્રી પ્રભાતભાઈ ડાંગરના નિધનથી બેઠક ખાલી થઇ છે. લોકોએ સાચો લોકસેવક ગુમાવ્યો છે પરંતુ કોંગ્રેસના ઉમેદવારશ્રી કૈલાશ નકુમ પણ સેવાના ભેખધારી છે. તેઓ પણ પ્રભાતભાઈ ડાંગરે કરેલા વિકાસકામને આગળ વધારશે તેવો વિશ્વાસ મતદારોએ વ્યકત કર્યો હતો. ભગવતીપરા, મોરબી રોડ, કુવાડવા રોડ, ચામુંડા સોસાયટી, વેલનાથપરા, જયજવાન જયકિશાન સોસાયટી, મોરબી જકાતનાકા સહીતના વિસ્તારોમાં કોંગી ઉમેદવારની પદયાત્રામાં ઠેર-ઠેરથી જનસમર્થન મળ્યું હતું. તા. ૧૭ના રોજ મતદાન યોજાશે. આ ચૂંટણીમાં કોંગ્રેસને મત આપવા અને કોંગ્રેસની બેઠક યથાવત રહેશે તેવો લોકોએ પોલ આપ્યો હતો.

(3:49 pm IST)