Gujarati News

Gujarati News

News of Thursday, 11th August 2022

રણછોડનગરમાં ગુલ્‍ફીના કારખાનામાં કામ કરતી વખતે કરંટ લાગતા રામજીભાઇનું મોત

રાજકોટ તા. ૧૦ : રણછોડનગરમાં ગોકુલ હોસ્‍પિટલની સામે આવેલા ગુલ્‍ફીના કારખાનામાં કામ કરતી વખતે વિજ કરંટ લાગતા કારખાનાના માલીકનું મોત નિપજતા પરિવારમાં શોક વ્‍યાપી ગયો છે.

મળતી વિગત મુજબ મોરબી રોડ પર રહેતા રામજીભાઇ બચુભાઇ ખાચરીયા (ઉ.૬૨) ગઇકાલે રણછોડનગર શેરી નં. ૧૬ ગોકુલ હોસ્‍પિટલ સામે આવેલ પોતાના ગુલ્‍ફી બનાવવાના કારખાનામાં કામ કરતા હતા. ત્‍યારે અચાનક મશીનમાં કરંટ લાગતા તે બેભાન થઇ ગયા હતા. બાજુની દુકાન ધરાવતા વેપારીએ તેને ફોન કરતા રામજીભાઇ ફોન ઉઠાવતા ન હોઇ તેથી તે કારખાને ગયા ત્‍યારે રામજીભાઇને બેભાન હાલતમાં પડેલા જોઇ તેણે તાકીદે ૧૦૮માં જાણ કરતા ૧૦૮ના ઇ.એમ.ટી. પ્રફુલભાઇ સહિતે સ્‍થળ પર પહોંચી તપાસ કરતા રામજીભાઇનું મૃત્‍યુ નિપજ્‍યું હોવાનું જણાતા પોલીસને જાણ કરવામાં આવી હતી. જાણ થતા બી-ડીવીઝન પોલીસ મથકના એ.એસ.આઇ. એન.જી.ભદ્રેચા સહિતે સ્‍થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. મૃતક રામજીભાઇના બે પુત્ર ગેરેજમાં કામ કરે છે. બે પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં શોક વ્‍યાપી ગયો છે.

(3:41 pm IST)