Gujarati News

Gujarati News

News of Saturday, 11th June 2022

યશ રાધનપુરાને ૯૯.૯૯પીઆરઃ વગર ટયુશને મેળવી સફળતા

દરરોજ દસથી બાર કલાકનું વાંચનઃસોની સમાજનું ગૌરવ વધાર્યું

રાજકોટઃ ધો.૧૦નાં પરિણામમાં શ્રી એસ.જી.ધોળકીયા સ્‍કુલમાં અભ્‍યાસ કરતાં યશ ચિરાગભાઇ રાધનપુરા ૬૦૦/૫૮૬ (૯૯.૯૯) મેળવી સ્‍કુલ તથા સોની સમાજનું ગૌરવ વધારેલ છે.

સત્‍સંગી પરિવારમાંથી આવતા અને પેલેસ રોડ ઉપર ધર્મનંદન લેઝર સોલ્‍ડરના નામે સોનાનો  વ્‍યવસાય કરતાં ચિરાગભાઇ-નિશાબેનનાં પુત્ર યશ જણાવે છે કે, મારી સફળતામાં મારા ઇષ્‍ટદેવ ભગવાનશ્રી સ્‍વામિનારાયણ, મારા ગુરુવર્ય ધ્‍યાનીસ્‍વામીજી , બ્રહ્મનિષ્‍ઠ સંતો, શિક્ષકો એ ખૂબ સહયોગ આપેલ. દરરોજનાં દસથી બાર કલાકનું (વગર ટયુશન કલાસ)એ મને આ સફળતા મેળવેલ છે. પરિક્ષાની તૈયારી કરતાં પહેલા પોતા-પોતાના ઇષ્‍ટદેવ તથા પોતાના ગુરૂજીને સંભાળીને વાંચન અને લખાણ કરશો તો જરૂર સફળતા મળશે.

(3:30 pm IST)