Gujarati News

Gujarati News

News of Friday, 10th September 2021

પૂ. ધીરજમુનિ મ.સા.ની નિશ્રામાં કાલે સંવત્સરી મહાપર્વ ઉજવાશે

પ્રવચન, આલોયણા, પ્રતિક્રમણનું ઓનલાઇન પ્રસારણ

રાજકોટ તા. ૧૦ :.. શ્રી ઇન્દ્રપ્રસ્થનગર સ્થાનકવાસી જૈન સંઘના ઉપક્રમે શાસનદીપક પૂ. નરેન્દ્ર મુનિ મ.સા. એવં પૂ. જય-વિજયાજી જય-વિજયાજી મ.સ.ની સ્મૃતિમાં સંઘરત્ન શ્રીમતી બીનાબેન અજયભાઇ શેઠ પ્રેરિત પર્યુષણ પ્રવચનધારામાં આવતીકાલે તા. ૧૧ ને શનિવારે પૂ. શ્રી ધીરગુરૂદેવના સાંનિધ્યે ડુંગર દરબાર, જનકલ્યાણ હોલમાં સવારે ૮-૩૦ થી ૯-૧પ નમોજિણાંણં જિયભયાણં આદિ આત્મશાંતિ જાપ અને ૯-૧પ થી ૧૧ કલાકે ક્ષમાદીપ પ્રગટાવો વિષય પર પ્રવચન યોજાશે.

જયારે સંવત્સરી પ્રતિક્રમણ પૂર્વે આત્મ વિશુધ્ધિ આલોયણા બપોરે ર-૩૦ થી ૪ કલાકે અને સાંજે ૬-૧પ કલાકે સંવત્સરી પ્રતિક્રમણ ભાઇ-બહેનો માટે જનકલ્યાણ હોલમાં રાખેલ છે. પૌષધવ્રત કરનારાએ ત્યાં જ કરવાના રહેશે.

તા. ૧ર ને રવિવારે સવારે ૯-૧પ કલાકે તપસ્વીઓના પારણા જનકલ્યાણ હોલમાં યોજાશે.વિહારધામ, ઉપાશ્રય વગેરેમાં સાતાકારી પાટ અર્પણનો નકરો રૂપિયા ૧ર૦૦૦ રાખેલ છે. ૧૦૮ પાટની જરૂરીયાત છે. વધુ વિગત માટે મો. ૯૯૭૯ર ૩ર૩પ૭ નો સંપર્ક કરવો. પ્રવચન, આલોયણા,  પ્રતિક્રમણ DHEER PRAVACHAN DHARA યુ-ટયૂબ ચેનલમાં પ્રસારણ થશે.

(3:40 pm IST)