Gujarati News

Gujarati News

News of Thursday, 10th September 2020

કારખાનામાં વિજકરંટથી માતા-પિતાના એકના એક પુત્ર સિધ્ધરાજસિંહનું મોત

કોઠારીયા હાઇવે પર મિત્રના કારખાને બનાવઃ મૃતકના કાકા વોર્ડ નં. ૧૭ના કોર્પોરેટર

રાજકોટ તા. ૯: સહકાર રોડ પર ભારતીનગર-૪માં રહેતાં સિધ્ધરાજસિંહ નરેન્દ્રસિંહ જાડેજા (ઉ.વ.૨૧) નામના યુવાનનું રાત્રીના નવેક વાગ્યે કોઠારીયા હાઇવે પર રિધ્ધી સિધ્ધીના નાલા નજીક બાલકૃષ્ણ એન્જિનીયરીંગ નામના કારખાનામાં વિજકરંટ  લાગતાં મોત નિપજતાં પરિવારમાં ગમગીની છવાઇ ગઇ છે.

જાણવા મળ્યા મુજબ સિધ્ધરાજસિંહ પોતે પટેલનગરમાં કારખાનુ ધરાવતાં હતાં. ગઇકાલે બુધવારની રજા હોઇ તે મિત્રના કારખાને બાલકૃષ્ણ એન્જિનીયરીંગમાં આટો મારવા ગયા હતાં. જ્યાં અકસ્માતે વિજતાર અડી જતાં જોરદાર કરંટ લાગતાં બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયેલ. પરંતુ અહિ દમ તોડી દેતાં ભકિતનગર પોલીસને જાણ કરવામાં આવી હતી.

મૃત્યુ પામનાર સિધ્ધરાજસિંહ માતા-પિતાના એકના એક પુત્ર અને આધારસ્તંભ હતાં. પિતા નરેન્દ્રસિંહ નટુભા જાડેજા પણ કારખાનુ ધરાવે છે. સિધ્ધરાજસિંહના કાકા ઘનશ્યામસિંહ જાડેજા વોર્ડ નં. ૧૭ના કોંગ્રેસના કોર્પોરેટર છે.

(11:51 am IST)