Gujarati News

Gujarati News

News of Wednesday, 10th August 2022

નાનામવા રોડ પરની શાળા નં. ૯૩ના વાલીઓ - વિદ્યાર્થીઓ વિફર્યા : ચક્કાજામ

ખાનગી ફાઉન્ડેશન સાથેના કરારના વિરોધમાં : ટુંક સમયમાં જ આ વિવાદનો સુખદ ઉકેલ આવી જશે : મનપા તંત્ર

 

રાજકોટ : શહેરના નાનામવા રોડ પર મોકાજી સર્કલ પાસે આવેલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલીત વિનોબાભાવે શાળા નં. ૯૩નો ખાનગી ફાઉન્ડેશન સાથે કરારના વિરોધમાં આજે સવારે વાલીઓ વિફર્યા હતા અને સ્કુલ પાસેનો રસ્તો રોકી ચક્કાજામ કરી વિરોધ વ્યકત કર્યો હતો. આ અંગે મનપાના સૂત્રોના જણાવ્યા પ્રમાણે શાળાની કાયાપલટ કરવા માટે તૈયાર થયેલા ખાનગી ફાઉન્ડેશન અને શાળાના આચાર્ય વચ્ચેના મતમંતારોના કારણે નાછૂટકે મનપા તંત્રને હવે આ વિવાદમાં મધ્યસ્થી તરીકે જોડાવું પડયું છે. આ પ્રકરણમાં પ્રત્યક્ષ રીતે મનપાને કઇ લાગતુ઼ વળગતું નથી. વધુમાં સૂત્રોએ જણાવ્યું હતું કે, આગામી સમયમાં નગર પ્રા. શિક્ષણ સમિતિ દ્વારા યોગ્ય નિર્ણય કરી વિવાદના સુખદ ઉકેલ લાવશે. (તસ્વીર : અશોક બગથરીયા)

(4:45 pm IST)