Gujarati News

Gujarati News

News of Wednesday, 10th August 2022

રવિવારે શિવ સાંઈધામ મંદિરે ગૌ રક્ષા યજ્ઞ

ગૌ માતાને લમ્પી વાયરસના રોગથી બચાવવાના હેતુ સાથે ૫૧૦૦ બિલિપત્ર અને ૫૫૧ બિલા (બિલીપત્રનું ફળ)નો યજ્ઞઃ શાસ્ત્રી વિનોદભાઈ ત્રિવેદી

રાજકોટઃ શહેરના ૧૫૦ ફૂટ રીંગ રોડ માધાપર ચોકડી પાસે ગોકુલ મથુરા એપાર્ટમેન્ટની સામે આવેલ સુવિખ્યાત શ્રી શિવ સાંઈરામ મંદિરે આગામી તા.૧૪ના રવિવારે ગૌ રક્ષા યજ્ઞનું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

ગૌ માતાને લમ્પી વાયરસના રોગથી બચાવવા અને ગાયોના રક્ષણ રોગથી બચાવવા અને ગાયોના રક્ષણ માટે ૧૪મીના રવિવારે સવારે ૧૦થી ૧૨:૩૦ સુધી આયોજીત આ ગૌરક્ષા યજ્ઞમાં ૫૧૦૦ બિલિપત્ર અને ૫૫૧ બિલા (બિલિપત્રનું ફળ)નું યજ્ઞ કરી આ કપરા સમયમાંથી આ રોગમાંથી ગૌ માતાને મુકત કરવા ભગવાન મહાદેવજીને પ્રાર્થના કરવામાં આવશે.

તેમ શાસ્ત્રી શ્રી વિનોદભાઈ એસ.ત્રિવેદી (મો.૯૯૭૯૧ ૦૫૧૧૪)ની યાદીમાં જણાવાયું છે.

(4:47 pm IST)