Gujarati News

Gujarati News

News of Wednesday, 10th August 2022

રાજકોટ રૂરલ માઉન્‍ટેન પોલીસ અશ્વ તાલિમ શાળા દ્વારા નીકળી તિરંગા યાત્રાઃ ૪૦ ઘોડા સાથે અધિકારીઓ, ક્‍લબના અગ્રણીઓ, સભ્‍યો જોડાયા

રાજકોટઃ આઝાદીના અમૃત મહોત્‍સવની ઉજવણી અંતર્ગત શહેર રાજકોટ  રૂરલ માઉન્‍ટેન પોલીસ યુનિટની અશ્વ તાલિમ શાળા દ્વારા આજે સવારે ૪૦ ઘોડા સાથે તિરંગા યાત્રા નીકળી હતી. જે પોલીસ હેડક્‍વાર્ટર માઉન્‍ટેન લાઇનથી નીકળી રેસકોર્ષ રીંગ રોડ પર ફરી હતી. તિરંગા સાથે ઘોડા પર સવાર રાઇડર્સને નિહાળી લોકોએ ભારત માતા કી જયના નારા લગાવ્‍યા હતાં. આ યાત્રામાં પીઆઇ વાય. બી. જાડેજા, પીએસઆઇ ડી. બી. જાડેજા, આર.ડી. ઝાલા હોર્સ રાઇડીંગ ક્‍લબના એડવાન્‍સ અને બેઝીક ટીમના સભ્‍યો, મામલતદાર પ્રોટોકોલક આઇ. જી. ઝાલા, સરકિટ હાઉસ મેનેજર સુજીત વસાવડા, ક્‍લબના અગ્રણીઓ પ્રવિણ શીંગાળા, જીજ્ઞેશ મેવા, મનુ પાંભર, પી. બી. ગોહિલ, રિતેશ પંડયા સહિતના જોડાયા હતાં. (ફોટોઃ સંદિપ બગથરીયા)

(10:55 am IST)