Gujarati News

Gujarati News

News of Wednesday, 10th August 2022

રાજગોર બ્રાહ્મણ પરિવારજનો માટે ગુરૂવારે સ્‍નેહમીલન- સાંસ્‍કૃતિક કાર્યક્રમ- લોકડાયરો

રાજગોર બ્રાહ્મણ યુથ કલબનું આયોજનઃ લોકડાયરામાં દેવાયત ખવડ જમાવટ કરશે

રાજકોટઃ શ્રી રાજગોર બ્રાહ્મણ યુથ કલબ દ્વારા દર વર્ષે રક્ષાબંધનના દિવસે જ્ઞાતિ સ્‍નેહમિલન સાથોસાથ સાંસ્‍કૃતિક કાર્યક્રમ યોજએલ છે. જેમાં દેવાયતભાઈ ખવડનો લોકડાયરો અને મહાપ્રસાદનો કાર્યક્રમ રક્ષાબંધનને તા.૧૧ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૯ સુધીનો કાર્યક્રમ પ્રમુખ સ્‍વામી ઓડિટોરિયમ, રૈયારોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

શ્રી રાજગોર બ્રાહ્મણ યુથ કલબના  આ કાર્યક્રમને સફળ બનાવવા માટે કલબના ચેરમેન બંકિમભાઈ મહેતા, પ્રમુખ સંજયભાઈ દવે, મહામંત્રી કશ્‍યપભાઈ દવે, ઉપપ્રમુખ લલિતભાઈ ઘાંધિયા, કેતનભાઈ બોરીસાગર અને ધર્મેશભાઈ મહેતા, ખજાનચી અલ્‍પેશભાઈ રવિયા, સહખજાનચી દિલીપભાઈ દવે, સહમંત્રી અનીલભાઈ જોશી, આશિષભાઈ મહેતા, યોગેશભાઈ મહેતા, સંગઠન મંત્રી હરેશભાઈ જોશી, સંજયભાઈ જોશી, સલાહકાર સમિતિના જસ્‍મિનભાઈ માઢક, અજયભાઈ જોશી, ચીમનભાઈ સાંકળીયા, જયંતભાઈ મહેતા, વેબ ડેવલોપર ભવિકભાઈ મંડીર, મીડિયા સેલના દિનેશભાઈ બોરીસાગર અને અભિષેકભાઈ ધાંધિયા, તેમજ કમિટિ મેમ્‍બર જતીનભાઈ મહેતા, નરેન્‍દ્રભાઈ ધ્રાંગડ, શૈલેષભાઈ દવે, ધીરેનભાઈ પુરોહિત, અશ્વિનભાઈ જોશી, ભાવિકભાઈ પંડયા, પંકજ ચાંવ, અરૂણભાઈ દવે, કેતનભાઈ બોરીસાગર, શશીકાંતભાઈ જોશી, ચિરાગભાઈ બોરીસાગર, ગોરધનભાઈ બામટા, નૈમિષભાઈ શિલુ, સાગરભાઈ તેરૈયા વિ. જહેમત ઉઠાવી રહ્યા છે.(તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

(4:04 pm IST)