Gujarati News

Gujarati News

News of Friday, 10th June 2022

હાથીખાના વિસ્તારમાં એડવોકેટ જોશીના પરિવારના સભ્યો ઉપર હીંચકારો હુમલો

નિશાંત જોશીના પરિવાર અને તેના ભાઈજી હરકાંત જોશી તથા તેના પુત્ર મિહિર જોશી દ્વારા જીવલેણ હુમલો: સિવિલ હોસ્પિટલ ખાતે મોટી સંખ્યામાં વકીલો પહોંચ્યા : હુમલાખોરો સામે કડક કાર્યવાહીની લાગણી

રાજકોટ : રાજકોટમાં જાણીતા એડવોકેટ પરિવાર પર જીવલેણ હુમલો કરાયો છે. એડવોકેટ પરિવારના ઈજાગ્રસ્ત લોકોને સિવિલ હોસ્પિટલે ખસેડાયા છે જ્યાં વકીલોના ટોળા ઉમટ્યા છે અને હુમલાખોરો સામે કડક કાર્યવાહીની લાગણી વ્યક્ત કરી રહ્યા છે

 આ અંગે મળતી વિગત મુજબ શહેરના હાથીખાનામાં રહેતા નિશાંતભાઈ જોશીના પરિવાર ઉપર તેમના ભાઈજી હરકાંત જોશી તથા તેના પુત્ર મિહિર જોશી દ્વારા જીવલેણ હુમલો કરાયો છે ,આ લખાઈ છે ત્યારે સિવિલ હોસ્પિટલ ખાતે વકીલોના ટોળા ઉમટ્યા છે

વધુ વિગત મેળવાઈ રહી છે

 

(12:15 am IST)