Gujarati News

Gujarati News

News of Friday, 10th June 2022

શહેરમાં વધુ એક વિસ્‍તારમાં ધીમો ફોર્સ દુષિત પાણી વિતરણ : ફરિયાદ

ભીલવાસ વિસ્‍તાર બાદ મવડીના જલારામ સોસાયટીમાં લોકો ત્રાહીમામ : મેયરને રજુઆત

રાજકોટ, તા. ૧૦:  મનપા તંત્ર દ્વારા ગઇકાલે ભીલવાસ વિસ્‍તારમાં દુષિત પાણી વિતરણનો ફોલ્‍ટ શોધ્‍યા બાદ શહેરના વધુ એક વિસ્‍તારમાં ધીમા ફોર્સની અને દુષિત પાણી વિતરણની ફરીયાદ ઉઠવા પામી છે.

આ અંગેની પ્રાપ્ત માહિતી મુજબ વોર્ડ નં. ૧૧ ના ઓમનગરના જલારામ વિસ્‍તારમાં દુષિત પાણી તથા ધીમાફોર્સથી પાણી વિતરણ સમસ્‍યા તાકિદે ઉકેલવા વિસ્‍તારવાસીઓ દ્વારા મેયરને રજુઆત કરી હતી. મેયર પ્રદિપ ડવે આ પ્રશ્ને તાત્‍કાલિક ઉકેલવા ખાત્રી આપી હતી. 

(4:49 pm IST)