Gujarati News

Gujarati News

News of Friday, 10th June 2022

કોઠારીયા સોલવન્‍ટમાં ૧૦ દિ' પહેલા દાઝેલા નિર્મળાબાનું મૃત્‍યુ

દિવાબત્તી કરતી વખતે દાઝી જતાં સારવારમાં હતાં

રાજકોટ તા. ૧૦: કોઠારીયા સોલવન્‍ટ વિસ્‍તારમાં રહેતાં નિર્મળાબા હિતેન્‍દ્રસિંહ ચુડાસમા (ઉ.વ.૫૫) દસેક દિવસ પહેલા દાઝી જતાં સિવિલ હોસ્‍પિટલમાં સારવાર હેઠળ હતાં. તેમનું મોત નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

નિર્મળાબા ઘરે દિવાબત્તી કરતી વખતે દાઝી ગયાનું પોલીસની પુછતાછમાં જણાવાયું હતું. પ્રથમ તેમને ખાનગી હોસ્‍પિટલમાં અને બાદમાં સિવિલમાં દાખલ કરાયા હતાં. આજે દમ તોડી દેતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે તાલુકા પોલીસને જાણ કરી હતી. મૃત્‍યુ પામનારને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે.

(4:53 pm IST)