Gujarati News

Gujarati News

News of Friday, 10th June 2022

ગાયત્રી જયંતીએ પૂ. લાલબાપુ દ્વારા વૃક્ષ પૂજન

‘મિશન ગ્રીન કોલકી' ટીમે પૂ. લાલબાપુના આશીર્વાદ લઇને વૃક્ષારોપણ શરૂ કર્યું

રાજકોટ : શ્રી ઉમિયા માતાજી મંદિર, સિદસરની પ્રેરણાથી સદ્‌ભાવના વૃધ્‍ધાશ્રમ, રાજકોટ દ્વારા નિર્મિત ‘મિશન ગ્રીન કોલકી'ની ટીમના સહિયારા પ્રયાસથી ગામને હરિયાળુ બનાવવા ગત સાલ ૨૬૫૧ વૃક્ષોનું સફળતાપૂર્વક વાવેતર કરેલ. આ વર્ષે પણ ૧૬૦૦ વૃક્ષોના લક્ષ્યાંક સાથે શ્રી ગાયત્રી આશ્રમ - ગધેથડ તથા પૂજ્‍ય લાલબાપુ તથા પૂજ્‍ય રાજુ ભગતના આશિર્વાદ લઇ વૃક્ષારોપણની શરૂઆત કરેલ છે. પૂજ્‍ય લાલબાપુએ વૃક્ષની શાષાોકત પૂજા વિધિ કરી અને વૃક્ષોમાં પણ ભગવાન છે અને આ એક ઉત્તમ પુણ્‍યનું કામ આપની ટીમ કરી રહી છે એવા આશિર્વાદ આપ્‍યા હતા, તેમ નિલેશભાઇ ગોધાણી (મિશન ગ્રીન કોલકી ટીમ)ની યાદીમાં જણાવાયું છે.

(2:57 pm IST)