Gujarati News

Gujarati News

News of Friday, 10th June 2022

ભીમ અગિયારસે ગાયોને ચારો

ભીમ અગિયારસના દિવસે ‘બાપા સીતારામ ગૌસેવા મંડળ' દ્વારા દાતા માલતીબેન તથા રમેશભાઇ બગડીયાનાં સ્‍મરણાર્થે આર.એમ.સી.નાં ડબ્‍બાની ગાયોને ૧૧૦ મણ ઘાસચાકો અર્પણ કરાયો હતો. આ સેવાકાર્ય માટે દોલતસિંહભાઇ ચૌહાણનો કાર્ય માટે સહકાર મળેલ. સમગ્ર કાર્યને સફળ બનાવવા સમીરભાઇ કામદાર, હિરેનભાઇ કામદાર, હરેશભાઇ વીંછી, અશોકભાઇ ગજેરા, જયસુખભાઇ હરસોડા, કલ્‍પેશભાઇ મોડાસરા, રાજેશભાઇ બોધરાએ જહેમત ઉઠાવેલ હતી.

(4:53 pm IST)