Gujarati News

Gujarati News

News of Saturday, 10th February 2018

લઘુરૂદ્રી- ધ્વજારોહણ સહિતના ધાર્મિક કાર્યક્રમો

ઔદિચ્ય સહસ્ત્ર ચિભડીયા બ્રહ્મસમાજ દ્વારા દાળેશ્વર મંદિરે મહાશિવરાત્રી ઉજવાશે

રાજકોટ,તા.૧૦: શ્રી ઔદિચ્ય સહસ્ત્ર ચિભડીયા બ્રહ્મસમાજ શ્રી દાળેશ્વર સેવા મંડળ ટ્રસ્ટ (દાળીયા)નાં પ્રમુખ અનંતભાઈ જી.ભટ્ટ, પ્રફુલભાઈ જોષી સયુંકત યાદીમાં જણાવે છે કે તા.૧૩ મંગળવારે  મહાશિવરાત્રીએ ગોંડલ તાલુકામાં આવેલ દાળીયા ગામે દાળેશ્વર મહાદેવનાં મંદિરે ચીભડીયા બ્રહ્મ સમાજના ભાઈઓ વ્હેલી સવારે પાઠત્માત્ક લઘુરૂદ્રી અને ત્યારબાદ સવારે ૧૦ વાગ્યે દાળેશ્વર મંદિર ખાતે ધ્વજારોહણ ધાર્મિક વાતાવરણમાં થશે.

 

આ પવિત્ર મહાશિવરાત્રી પર્વની ઉજવણીમાં ચીભડીયા બ્રહ્મ સમાજ મોટી સંખ્યામાં જોડાવવા અપીલ કરાઈ છે. દાળીયાગામ દાળેશ્વર મંદિરે આવવા જવા ગોંડલથી તેમજ રાજકોટની એસ.ટી.બસની સુવીધા છે. વાયા રીબડાગામ થઈને પહોંચી શકાશે. વધુ વિગત સંપર્ક અનંતભાઈ જી.ભટ્ટ મો.૯૮૨૫૦ ૭૮૧૩૧ કરવા યાદીમાં જણાવે છે.

(2:57 pm IST)