Gujarati News

Gujarati News

News of Saturday, 10th February 2018

ડો. કલેટકર પ્રજ્ઞેશ જાનીને ઘરે રાજરાજેશ્વરી મા જગદંબા નો કાલે નવલખો માંડવો

થાંભલી- નગરયાત્રા- મહાઆરતી- મહાપ્રસાદ- રાસ- ગરબાના રૂડા અવસરો..

રાજકોટ, તા. ૧૦ : શ્રી રાજરાજેશ્વરમાં અંબાજી અને સુરાપુરા દાદાના આશીર્વાદથી આવતીકાલે એકાદશીના શુભ દિને રવિવારે તા. ૧૧-ર-ર૦૧૮ના શુભદિવસે રાજકોટ સીટી પ્રાંત-ર અને ડે. કલેકટર શ્રી પ્રજ્ઞેશ જાનીના નિવાસસ્થાને ભગવતી રાજરાજેશ્વરીમાં જગદંબા નવલખા માંડવા અને ભગવતી શ્રી રાંદલ માતાજીના પૂજનનું ભવ્ય આયોજન કરાયું છે.

આ અત્યંત શુભ પ્રસંગ શુભસ્થળ શ્રી પ્રજ્ઞેશ રશ્મીકાંતભાઇ જાની, જયઅંબે, મોમ્બાસા પાર્ક-૧, રૈયા ટેલફોન એક્ષેચન્જની પાછળ, ૧પ૦ ફૂટ રીંગ રોડ મો. નં. ૯૯૦૪૭ ૧૧૦૦૦ ખાતે યોજાયેલ છે.

આવતીકાલે થાંભલી રોપવાનું મુર્હૂત સવારે ૮-૩૦ કલાકે, માતાજીની નગરયાત્રા સવારે ૯-૩૦ કલાકે  તથા ૬૪ જોગણીના પ્રતીક સ્વરૂપે રાસ-રમવા પધારેલી દીકરોઓ સંગાથે માતાજીની મહાઆરતી સાંજે ૭ કલાકે, મહાપ્રસાદ સાંજે ૮ કલાકે અને રાસ-ગરબા રાત્રે ૯ કલાકે યોજાશે.

(12:03 pm IST)