Gujarati News

Gujarati News

News of Friday, 9th December 2022

પૂ.ધીરગુરુદેવના રવિવારે વિહાર વળામણા

લાલપુરમાં સોમવારે ઉપાશ્રયની ભૂમિપૂજન વિધિ

રાજકોટ,તા. ૯ : શ્રી જશાપર સ્‍થાનકવાસી જૈન સંઘ ખાતે યશસ્‍વી અને અવિસ્‍મરણીય ચાતુર્માસ પૂર્ણ કરી ગોંડલ સંપ્રદાયના પૂ. શ્રી ધીરગુરુદેવ અને સાધ્‍વીજી પૂ.ગુણીજી મહાસતીજી આદિ ઠાણા તા. ૧૧ને રવિવારે સવારે ૮:૩૦ કલાકે સમસ્‍ત ગામ સહિત વિહાર કરી કાટકોલા ખાતે ભીડભંજન મહાદેવના પટાંગણે માલિનીબેન કિશોરભાઇ સંઘવી-જીવદયા ઘર (પાંજરાપોળ) ખાતે પધારશે.

જ્‍યારે તા. ૧૨ને સોમવારે સવારે ૧૦:૩૦ થી ૧૧:૩૦ કલાકે લાલપુર જૈન સંઘના આંગણે વીરચંદ મીઠાલાલ દેવચંદ મહેતા-જૈન ઉપાશ્રયની ભૂમિપૂજન વિધિ યોજાયેલ છે.

(4:23 pm IST)