Gujarati News

Gujarati News

News of Friday, 9th December 2022

સિધ્ધપુર પંથકની જનતાનો વિજય થયો છે : બલવંતસિંહ રાજપૂત

(જયંતિભાઇ ઠક્કર દ્વારા) પાટણ, તા. ૯ : સિધ્ધપુર વિધાનસભમા બેઠક ઉપર ભાજપના ઉમેદવાર બલવંતસિંહ રાજપૂત પાતળી સરસાઇથી વિજયી બન્યા બાદ મીડીયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે સિધ્ધપુર પંથકની જનતાનો આ ભવ્ય વિજય છે. પ્રજાએ મારા ઉપર મુકેલા વિશ્વાસને હું આગામી પાંચ વર્ષ લોકોના કામો કરીને ચરિતાર્થ કરીશ. ભાજપના વિકાસના મોલને આગળ ધપાવવા હરહંમેશ મારા પ્રયત્નો રહેશે. આ જીત મારી નહી પણ મારા સિધ્ધપુરના મતદારોની છે. મારા કાર્યકર મિત્રો, મારા સ્નેહીઓ, શુભેચ્છકો, મિત્રોની આ જીત છે. આ પરિણામ વિકાસનું મોડેલ છે હું તમામ કાર્યકરો મતદારોનો ઋણી છું અને આગામી પાંચ વર્ષ પ્રજાની સેવા કરીશે.

(4:22 pm IST)