Gujarati News

Gujarati News

News of Friday, 9th December 2022

રવિવારે રાષ્‍ટ્રીયશાળામાં નિઃશુલ્‍ક ઓશો શિબિર

કિર્તન- સક્રીય ધ્‍યાન- ઓશોના જન્‍મદિનની ઉજવણી

રાજકોટઃ અહિંના રાષ્‍ટ્રીયશાળા ખાતે નિઃશુલ્‍ક એક દિવસીય ઓશો શિબિર આગામી તા.૧૧ ને રવિવારે સવારે ૫:૧૫ થી રાત્રે ૯ વાગ્‍યા સુધી યોજાએલ છે.

શિબિરની રૂપરેખા આ મુજબ છે. સવારે ૫:૧૫ થી ૬ - કીર્તન, વોર્મ અપ, ૬ થી ૭ - સક્રીય ધ્‍યાન, ૭  થી ૮- નાસ્‍તો, ૮ થી ૯:૩૦ - ફ્રેશ થવા માટે વિરામ, ૯:૩૦ થી ૧૧ - ધ્‍યાન પ્રયોગ, ૧૧ થી ૧૧:૩૦ - ટી બ્રેક, ૧૧:૩૦ થી ૧- ધ્‍યાન પ્રયોગ, ૧ થી ૪  - લંચ બ્રેક અને વિશ્રામ, ૪  થી ૫:૧૫ - કુંડલિની ધ્‍યાન, ૫:૧૫ થી ૫:૪૫ - ટી બ્રેક અને રોબ બદલવાનો વિરામ, ૫:૪૫ થી ૮:૧૫ - સફેદ રોબમાં ઓશોના જન્‍મદિવસની ઉજવણી, ૮:૧૫ થી ૯  - રાત્રિ ભોજનને શિબિર સમાપન

 શિબિરનું રજિસ્‍ટ્રેશન શિબિર શરૂ થાય ત્‍યાં સુધી ચાલુ જ રહેશે. અગાઉથી રજીસ્‍ટ્રેશન કરાવી લેવું. માત્ર વિશેષ ધ્‍યાનમાં પણ ભાગ લઈ શકાશે. કોઈ ચાર્જ સેવામાં આવશે નહી.

 રજિસ્‍ટ્રેશન માટે ભિખાલાલ વોરા મો.૯૩૭૪૧ ૦૧૧૨૪, ભાવના કસુંદ્રા મો.૭૫૭૫૦ ૦૨૦૨૦, દિલીપ પટેલ ૯૮૨૫૨ ૨૯૩૯૪

(4:07 pm IST)