Gujarati News

Gujarati News

News of Friday, 9th December 2022

નાનામવા રોડ કરણ પાર્કમાં નેહા બગથરીયા એસીડ પી લેતા મોત

પરિણીતાના મૃત્યુ પાછળનું કારણ જાણવા માલવીયાનગર પોલીસે તપાસ આદરી

રાજકોટ તા. ૯: નાના મવા રોડ કરણ પાર્કમાં રહેતી પરિણીતાએ પોતાના ઘરે એસીડ પી લેતા તેનું ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત નિપજયું છે.

મળતી વિગત મુજબ નાનામવા રોડ કરણપાર્કમાં રહેતા નેહાબેન કિશનભાઇ બગથરીયા (ઉ.વ. ૩૧) ગઇકાલે પોતાના ઘરે હતા ત્યારે એસીડ પી લેતા તેને સારવાર માટે શાંતી હોસ્પિટલમાં ખસેડાયા હતા ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું. બનાવની જાણ થતા માલવીયાનગર પોલીસ મથકના એ.એસ.આઇ. ગીતાબેન પંડયા સહિતે હોસ્પિટલે પહોંચી તપાસ હાથ ધરી હતી. મૃતક નેહાબેનને સંતાનમાં ત્રણ પુત્રી છે. તેના માતા પિતા મોરબી રહે છે પતિ પોસ્ટ ઓફીસમાં નોકરી કરતા હોવાનું પોલીસ સુત્રોમાંથી જાણવા મળ્યું છે. પોલીસે પરિણીતાના મૃત્યુ પાછળનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.

(3:49 pm IST)