Gujarati News

Gujarati News

News of Friday, 9th December 2022

દેવાયત ખવડ તાકીદે નહિ પકડાય તો મયુરસિંહર રાણાના પરિવાર દ્વારા શરૃ થશે ઉપવાસ આંદોલન

ઇન્દ્રવિજયસિંહ રાણાની આગેવાનીમાં સંયુકત પોલીસ કમિશનરને રજૂઆત

રાજકોટઃ વિષ્ણુવિહાર સોસાયટીના મયુરસિંહ રાણા પર સર્વેશ્વર ચોકમાં હીચકારો હુમલો કરી તેની હત્યાનો પ્રયાસ કરી ભાગી ગયેલા લોકસાહિત્યકાર દેવાયત ખવડ સહિતનાને ઝડપી લેવા અને કડક કાર્યવાહી કરવાની માંગણી સાથે આજે વધુ એક રજૂઆત કરવામાં આવી હતી. સંયુકત પોલીસ કમિશનરશ્રી સોૈરભ તોલંબીયાને મળી રજૂઆતમાં જણાવાયું હતું કે જેની હત્યાનો પ્રયાસ થયો તે મયુરસિંહ રાણા સમય મીરર અખબારના ડિરેકટર પણ છે. આરોપીને તાકીદે પકડી કડક હાથે કામગીરી કરવામાં નહિ આવે તો પરિવારજનો દ્વારા પોલીસ કમિશનર કચેરી ખાતે અન્નજળનો ત્યાગ કરી આંદોલન શરૃ કરવામાં આવશે તેમ જણાવાયું હતું. મયુરસિંહના પરિવારના ઇન્દ્રવીજયસિંહ રાણા સાથે સમય મીરરના રાજુ બગડાઇ સહિતના આ રજૂઆતમાં સામેલ થયા હતાં.

(3:34 pm IST)