Gujarati News

Gujarati News

News of Thursday, 9th December 2021

બાર એસો.ની ચુંટણીમાં ટ્રેઝરરની જગ્યા ઉપરથી ગોંડલીયાનું ફોર્મ પરત ખેંચાયુ઼

રાજકોટ,તા. ૯ : આગામી તા. ૧૭/૧૨/૨૧ના યોજાયેલ ચુંટણીમાં ખજાનચી તરીકે જયેન્દ્ર એચ. ગોંડલીયા દ્વારા ઉમેદવારી નોંધાવેલ હતી. જેઓએ આજે પોતાનું ફોર્મ પરત ખેચ્યુ હતું.

ઉપરોકત ચુંટણી અન્વયે રાજકોટ બારના ડી.બી.બગડા તથા જીતેન્દ્ર પારેખ દ્વારા પણ ઉમેદવારી નોંધાવેલ જેથી ત્રણ ઉમેદવારો વચ્ચે ત્રીપાંખઓ જંગ થવાની સંભાવના અંગે ખેલદીલી પૂવર્ક બન્ને સાથી એડવોકેટ અત્ર વચ્ચે નહિ રહી ચુંટણી એક પર્વ તરીકે ઉજવાય અને એક બીજા વચ્ચે હરીફાઇ ન ઉદભવે તેવી શુધ્ધ ભાવનાથી ત્રીપાંખીયો જંગ ન થાય અને હરીફાઇ ઘટે તેવા આદર્શથી નિર્ણય લીધેલ છે અને ખજાનચી (ટ્રેઝરર)પર ઉપરથી ફોર્મ પરત ખેંચવા નિર્ણય લીધેલ છે.

(3:41 pm IST)