Gujarati News

Gujarati News

News of Thursday, 9th December 2021

એસટી બસનું ચેકીંગ કરતા ટ્રાફિક ઈન્સ.ની ફરજમાં રૂકાવટ કરી કંડકટરે માર માર્યો

ભાયાવદર પાસે બનાવઃ કંડકટર ઈન્દ્રજીતસિંહ વાળા રહે. સાતવડી સામે ગુન્હો નોંધાયો

રાજકોટ, તા. ૯ :. ભાયાવદર પાસે એસટી બસનું ચેકીંગ કરતા ટ્રાફીક ઈન્સ્પેકટરની ફરજમાં રૂકાવટ કરી કંડકટરે માર મારતા પોલીસમાં ફરીયાદ થઈ છે.મળતી વિગતો મુજબ ભાયાવદરના ખારચીયા તથા મોટી પાનેલી ગામ વચ્ચે ઉપલેટા-જામનગર રૂટની એસ.ટી. બસને રોકી ટ્રાફીક ઈન્સ્પેકટર અશોકકુમાર જયંતીલાલ શર્મા રહે. જામનગરએ ચેકીંગ ચાલુ કરતા કંડકટર ઈન્દ્રજીતસિંહ ગુલાબસિંહ વાળા રહે. સાતવડી, તા. ઉપલેટાએ ચેકીંગ દરમિયાન ફરજમાં રૂકાવટ કરી, ગાળો આપી, ઢીકાપાટુનો માર મારી, છરી દેખાડી પતાવી દેવાની ધમકી આપી હતી.

આ બનાવ અંગે એસટીના ટ્રાફીક ઈન્સ્પેકટર અશોકકુમાર શર્માએ કંડકટર ઈન્દ્રજીતસિંહ સામે ફરીયાદ કરતા ભાયાવદરના હેડ કોન્સ. જે.ડી. મજેઠીયાએ ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

(2:36 pm IST)