Gujarati News

Gujarati News

News of Tuesday, 9th August 2022

આપ દ્વારા ચુંટણી પ્રચારના શ્રીગણેશ

રાજકોટઃ આમ આદમી પાર્ટીના વિધાનસભા-૭૦ના ઉમેદવાર શિવલાલ પટેલ દ્વારા પવિત્ર શ્રાવણ માસના સોમવારથી રાજનગર ચોક, સુર્યમુખી હનુમાન મંદિર, શિવમંદિરે પુજા અર્ચના કરી અને ચુંટણી પ્રચારના શ્રી ગણેશ કરાયા હતા. આમ આદમી પાર્ટી અને ઉમેદવારના પરીચયની પત્રીકાનો બહોળી સંખ્‍યામાં પ્રચાર પ્રસાર કરાયો હતો. પ્રચાર દરમ્‍યાન વેપારીઓ તથા રાહદારીઓ તેમજ ડોર ટુ ડોર લોકોએ સ્‍વયંભુ ઉત્‍સાહ દાખવેલ. આ કાર્યક્રમનું આયોજન રાજકોટ શહેર મહામંત્રી સંજયસિંહ વાઘેલા તથા કે.કે.પરમાર, સંગઠન મંત્રી કાનાભાઇ ચૌહાણ, નાથાલાલ ચિત્રોડા,  પાલજીભાઇ રાઠોડ, ઉદયભાઇ દોશી, હિતેશભાઇ હાપા, ધવલ ચંદ્રાણી, રમેશભાઇ ગોજારીયા, હિતેશભાઇ ચૌહાણ, દિનેશભાઇ ખાટરીયા, રાજેશભાઇ ડાંગરીયા, દિનેશભાઇ માકડીયા તેમજ પ્રદેશ મહિલા ઉપપ્રમુખ રાજલબેન ગઢવી તથા રાજકોટ શહેર ઉપપ્રમુખ તનુજાબેન દોશી, અર્ચનાબેન કથીરીયા, જાગૃતીબેન પરમાર અને તેઓની ટીમ દ્વારા કરવામાં આવેલ હતું. (૪.૨૧)

 

 

શુક્રવારે તિરંગા યાત્રામાં સરગમી સભ્‍યો ઉમટી પડશે : ડેલાવાળા

રાજકોટ,તા.૯ : ‘આઝાદી કા અમૃત મહોત્‍સવ'ની ઉજવણીના ભાગરૂપે હર ઘર તિરંગા અભિયાનના આગામી તા. ૧૨ને શુક્રવારે સવારે રાજકોટમાં તિરંગા યાત્રા યોજવાની છે. આ તિરંગા યાત્રામાં સરગમ પરિવારના સભ્‍યો મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહેશે તેમ સરગમ ક્‍લબના પ્રમુખ ગુણવંતભાઇ ડેલાવાળાએ જણાવ્‍યું છે.

તેમણે કહ્યુ છે કે આ તિરંગા યાત્રામાં રાજ્‍યના મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલ તેમજ ગૃહમંત્રી હર્ષભાઇ સંઘવી ઉપસ્‍થિત રહેવાના છે. ત્‍યારે સરગમ પરિવારના સભ્‍યો પણ આ તિરંગા યાત્રામાં જોડાઇને દેશભકિતના માધ્‍યમથી રાષ્‍ટ્ર નિર્માણમાં પોતાનું યોગદાન આપશે.

સરગમ પરિવારના ચેરમેન વજુભાઇ વાળા પ્રમુખ ગુણવંતભાઇ ડેલાવાળા મંત્રી મૌલેશભાઇ પટેલ ઉપરાંત સરગમ લેડીઝ કલબના ચેરપર્સન ડો.ચંદાબેન શાહ, પ્રમુખ નીલુબેન મહેતા અને મંત્રી ડો.માલાબેન કુંડલીયા વગેરેએ સરગમ ક્‍લબ સરગમ લેડીઝ ક્‍લબ સરગમ સિનિયર સિટીઝન ક્‍લબ સરગમ કપલ ક્‍લબ અને સરગમ ચિલ્‍ડ્રન ક્‍લબ સહિતના સૌ સરગમી સભ્‍યોને તારીખ ૧૨ને શુક્રવારે સવારે ૮ વાગ્‍યે બહુમાળી ભવન ચોકમાં તિરંગા સાથે ઉપસ્‍થિત રહેવા અનુરોધ કર્યો છે. 

(3:48 pm IST)