Gujarati News

Gujarati News

News of Tuesday, 9th August 2022

ઓશો સત્‍યપ્રકાશ ધયાન મંદિરમાં પ્રેમ માધવીના સાનિધ્‍યમાં એક દિવસીય નિઃશૂલ્‍ક ઓશો ધ્‍યાન શિબિર-સંન્‍યાસ ઉત્‍સવ-સંતવાણી-હૃદયાંજલી-પુષ્‍પાંજલી

ગુરૂવારે રક્ષાબંધન પૂનમ નિમિત્તે : ધ્‍યાન ભજનના ત્રિવેણી સંગમમાં ડૂબકી લગાવવાનો અનેરો અવસરઃ આયોજક સ્‍વામિ પ્રેમ મૂર્તિ(સ્‍વીત્‍ઝરલેન્‍ડ), સંચાલીકા માં પ્રેમમાધવી (હરીયાણા),કાર્યક્રમ સંચાલન સ્‍વામિ સત્‍યપ્રકાશ, સંતવાણી આયોજક બકુલભાઇ ટીલાવત (સ્‍વામિઆનંદતીર્થ) લાફટર થેરાપી માસ્‍ટર સ્‍વામિદેવ રાહુલ દ્વારા હસીબા-ખેલીબા-ધરીબા ધ્‍યાનમ્‌, નિર્વાણ સ્‍વામિ પ્રેમ વાતાયન (કિરીટભાઇ ટંકારીયા)ને હૃદયાંજલી-પુષ્‍પાંજલી શિબિરમાં સહભાગીતા માટે નામ નોંધણી આજથી શરૂ

રાજકોટઃ ઓશોના સત્ર ઉત્‍સવ આમાર જોગી આનંદ આમાર ગોત્રને સાર્થક કરતા વિવિધ કાર્યક્રમો જેવા કે ઓશો ધ્‍યાન શિબિરો, ઓશો સાહિત્‍ય પ્રદર્શનો, ઓશો સંન્‍યાસ ઉત્‍સવ, ભજન-કિર્તન ગીત સંગીત વિવિધ સંપ્રદાયોના ઉત્‍સવો, મૃત્‍યુ ઉત્‍સવ, વિશ્વ દિવસ વગેરે રાજકોટમાં ૨૪ કલાક ઓશો કાર્યથી ધમધમતું વિશ્વનું એક માત્ર ઓશો સત્‍યપ્રકાશ ધ્‍યાન મંદિર પર નિયમીત છેલ્લા ૩૭ વર્ષોથી અવારનવાર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે જેનું સંચાલન સ્‍વામિ સત્‍યપ્રકાશ કરી રહ્યા છે

રક્ષાબંધન પૂનમે યોજેલી શિબિરની રૂપરેખા

સવારે ૬થી ૭ સક્રિય ધ્‍યાન (આ ધ્‍યાન છેલ્‍લા ૩૭ વર્ષોથી એક પણ દિવસ ચુકાયા વગર ધ્‍યાન મંદિર પર કરવામાં આવે છે.) સવારે ૭.૧૫થી ૮ બ્રેકફાસ્‍ટ, સવારે ૮.૩૦થી બપોરે ૧ દરમ્‍યાન ગુરૂવંદના ઓશોના વિવિધ ધ્‍યાન પ્રયોગો બપોરે ૧થી ૩ મહાપ્રસાદ (હરિહર) તથા વિશ્રામ બપોરે ૩થી ૪ ઓશો વિડીયો દર્શન બપોરે ૪થી ૪.૧૫ ચા પાણી સાંજે ૪.૧૫થી રાત્રે ૮ દરમ્‍યાન કુંડલીની ધ્‍યાન, નિષ્‍ક્રીય ધ્‍યાન, હસીબા-ખેલીબા-ધરીબા ધ્‍યાન, સંધ્‍યા ધ્‍યાન, સ્‍વામિ પ્રેમ વાતાયન(કિરીટભાઇ ટંકારીયા)ને હૃદયાંજલી-પુષ્‍પાંજલી ઓશો કિર્તન સાથે અર્પણ કરવામાં આવશે. રાત્રે ૮ વાગ્‍યે મહાપ્રસાદ

મહાપ્રસાદ બાદ રાત્રે ૮.૩૦ વાગ્‍યે સંતવાણીના કાર્યક્રમનું આયોજન ભજનીકશ્રી બકુલભાઇ ટીલાવત (સ્‍વામિ આનંદતીર્થ) તથા તેમની ટીમના ગૌતમભાઇ મકવાણા, દેવજીભાઇ ચુડાસમા, રસીકભાઇ ચુડાસમા, બળવંતસિંહ ગોહિલ ખૂશ પ્રજાપતિ (છોટે ઉસ્‍તાદ) માંધાભાઇ પાંભર, સ્‍વામિ રાજુભાઇ, સ્‍વામિજીત સ્‍વરૂપ સરસ્‍વતીજી, સ્‍વામિ જગદીશ ભારતી, કનુ મહારાજ વિનોદભાઇ નિમાવત, કાળુભાઇ મકવાણા, બલરાજભાઇ મકવાણા, અરવિંદભાઇ જેઠવા, દિલીપભાઇ ખોલીયા, લાખાભાઇ બોરીચા વગેરે સંતો-મહંતોની વાણી રજુ કરી સાધકોને ભકિતમાં લીન કરશે. કાર્યક્રમ રાત્રે ૧૨.૩૦ વાગ્‍યે સમાપન કરવામાં આવશે.

ઉપરોકત એક દિવસીય ઓશો ધ્‍યાન શિબિરમાં સહભાગી થવા ઓશો સંન્‍યાસી પ્રેમીઓએ ઓશો સત્‍યપ્રકાશ ધ્‍યાનમંદિરની ટીમે અનુરોધ કરેલ છે. સ્‍થળઃ ઓશો સત્‍યપ્રકાશ ધ્‍યાન મંદિર, ગોંડલ રોડ, વિવેકાનંદ ઓવરબ્રિજ પાસે, ૪ વૈદવાડી, ‘ડી‘ માર્ટ પાછળ રાજકોટ

વિશેષ માહિતી તથા એસએમએસ દ્વારા શિબિરમાં સહભાગીતા માટે નામ નોંધણી માટેઃ સ્‍વામિ સત્‍યપ્રકાશઃ ૯૪૨૭૨ ૫૪૨૭૬, સંજીવ રાઠોડઃ ૯૮૨૪૮ ૮૬૦૭૦

(3:42 pm IST)