Gujarati News

Gujarati News

News of Tuesday, 9th August 2022

રાજકોટમાં રક્ષાબંધનના દિવસે બહેનોને સિટી બસ - બી.આર.ટી.એસ. માં નિશુલ્ક મુસાફરી

પ્રદિપ ડવ, પુષ્કર પટેલ તથા મ્યુનિ.કમિશ્નર અમિત અરોરાની જાહેરાત

રાજકોટઃ મહાનગરપાલિકા દ્વારા વિશ્વ મહિલા દિવસ, ભાઈબીજ અને રક્ષાબંધનના પવિત્ર પર્વ નિમિતે સિટી બસ સેવા તથા બી.આર.ટી.એસ. બસ સેવામાં બહેનો માટે દરવર્ષની પરંપરા મુજબ ફ્રી સેવા પુરી પાડવા નક્કી કરવામાં આવેલ છે. ચાલુ વર્ષે પણ આગામી તા.૧૧ ગુરૃવારના રોજ રક્ષાબંધનના પવિત્ર તહેવારના દિવસે કોઈપણ રૃટ પર ગમે તેટલી વખત ફકત બહેનો નિ શુલ્ક મુસાફરી કરી શકશે. તેમ મેયર પ્રદિપ ડવ, સ્ટે.ચેરમેન પુષ્કર પટેલ તથા મ્યુનિ.કમિશ્નર અમિત અરોરા દ્વારા જાહેરાત કરવામાં આવી છે.

(2:06 pm IST)