Gujarati News

Gujarati News

News of Monday, 9th August 2021

કોંગ્રેસ દ્વારા સામાજિક ક્રાંતિ અભિયાન : ભાજપ સરકાર સામે દેખાવો-સુત્રોચ્ચાર : ૧૮ની અટકાયત

સરકારે આદિવાસીઓની જમીન-હક્ક-અધિકારી-આઝાદી છીનવી દીધી ...: શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગર-કાર્યકારી પ્રમુખ પ્રદિપ ત્રિવેદી, મહેશ રાજપુત, જસવંતસિંહ ભટ્ટીના આક્રોશ ભર્યા આક્ષેપો

રાજકોટ,તા.૯ : ભા.જ.પ. સરકાર દ્વારા સુશાસન સપ્તાહની ઉજવણી સામે વિપક્ષ કોંગ્રેસ દ્વારા સમગ્ર સપ્તાહ દરમિયાન સરકારની યોજનાઓ ભ્રામક હોવાના આક્ષેપો સામે સરકાર સામે દેખાવો-સુત્રોચ્ચાર કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. જે અંતર્ગત આજે શહેર કોંગ્રેસ દ્વારા સામાજિક ક્રાંતિ અભિયાનનો કાર્યક્રમ આપતા પોલીસે શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગર સહિત ૧૮ આગેવાનોની અટકાયત કરી હતી.

આ અંગે કોંગ્રેસ કાર્યાલયની યાદીમાં જણાવાયા મુજબ રાજકોટ શહેર-જિલ્લા કોંગ્રેસઙ્ગ દ્વારા આજ રોજ તા.૦૯/૦૮/૨૦૨૧ ના રોજ સોમવારે ડો. યાજ્ઞિક રોડ ખાતે રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ ડાંગર ની અધ્યક્ષ સ્થાને 'સામાજિક ક્રાંતિ અભિયાન' કાર્યક્રમ સવારે ૧૦:૩૦ કલાકે યોજાયો હતો.ઙ્ગ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમિતભાઈ ચાવડાની સૂચના અનુસાર રાજકોટ શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા 'સામાજિક ક્રાંતિ અભિયાન' કાર્યક્રમ યોજાયો હતો.

જેમાં ભાજપના શાસનમાં લોકોની આઝાદી ખતમ થઈ ગઈ છે. લોકોના અધિકારોનું હનન થઈ રહ્યું છે. જે રીતે આદિવાસી સમાજને જળ, જંગલ અને જમીન એમનો અધિકાર છે જેના માટે કોંગ્રેસની સરકારે અનેક કાયદાઓથી એમને રક્ષણો આપ્યા એ તમામ અધિકારો, રક્ષણો છીનવવાનું કામ થઈ રહ્યું છે પોતાના માનીતા માટે જંગલ ની જમીન આદિવાસી વિસ્તાર ની જમીન હડપ કરવામાં આવી રહી છે. આદિવાસી વિસ્તારોમાં ખાણ-ખનીજ-પાણીના નિયંત્રણ અને ઉપભોગ ગ્રામસભા મારફત થતા નથી. આદિવાસી સમાજના-શિક્ષણ, નોકરી, બઢતીના અધિકારો ભાપ સરકારે છીનવી લીધા. તેમજ ઘરવિહોણા પરિવારો માટે ૧૦૦ ચો.વારના પ્લોટનો અમલ બંધ. આદિવાસી વિસ્તારમાં 'પેસા'કાયદાના અમલમાં ધાંધિયા એજ રીતે આદિવાસી સમાજની સાથે સાથે દલિત સમાજ, બક્ષીપંચ સમાજ, લઘુમતી સમાજ આ તમામ ગરીબ, મધ્યમવર્ગ, સામાન્ય વર્ગના લોકોના પોતાના સંવિધાનિક હકો છીનવાઈ રહ્યા છે ત્યારે તમામ સમાજના લોકો એક થઈ પોતાના અધિકારો માટે અવાજ ઉઠાવે અને ક્રાંતિની શરૂઆત કરે  તેવી અપીલ તે સાથે રાજકોટ શહેર જિલ્લા કોંગ્રેસ દ્વારા 'સામાજિક ક્રાંતિ અભિયાન' કાર્યક્રમ યોજી તમામ સમાજના લોકોને જાગૃત કરવા આજ રોજ વિરોધપ્રદર્શન કરવામાં આવ્યું તેમાં રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખશ્રી અશોકભાઈ ડાંગર, કાર્યકારી પ્રમુખશ્રી પ્રદીપભાઈ ત્રિવેદી, પૂર્વ પ્રમુખ મહેશભાઈ રાજપૂત, શહેર આગેવાન જસવંતસિંહ ભટ્ટી, પૂર્વ ડેપ્યુટી મેયર ભરતભાઈ મકવાણા, રહીમભાઈ સોરા, પ્રવીણભાઈ મૈયડ, ભાર્ગવભાઈ પઢીયાર, વોર્ડ પ્રમુખ ગીરીશભાઈ ઘરસંડિયા, મહેન્દ્રભાઈ શ્રીમાળી, પૂર્વ કોર્પોરેટર દિલીપભાઈ આશવાણી, સલીમભાઈ કારીયાણીયા,ઙ્ગ રણજિત મુંધવા, ભાવેશભાઈ પટેલ, હાર્દિક રાજપૂત, જગદીશભાઈ સાગઠીયા, રાજુભાઈ ચાવડા, હિરલબેન રાઠોડ, સહિતનાઓની પોલીસે અટકાયત કરેલ હતી.

(3:24 pm IST)