Gujarati News

Gujarati News

News of Monday, 9th August 2021

NCCના ગુજરાત મેજર જનરલ અરવિંદ કપુર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની મુલાકાતેઃ NCCનો ઈલેકટીવ વિષય દાખલ કરવા ચર્ચા

રાજકોટઃ એન.સી.સી.ના એડીજી ગુજરાત ડાયરેકટ મેજર જનરલ અરવિંદ કપુર તથા ગ્રુપ કમાન્ડર એન.સી.સી. રાજકોટના બ્રિગેડીયર એસ.એન. તિવારીએ આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો. નીતિનભાઈ પેથાણી તથા ઉપકુલપતિ ડો. વિજયભાઈ દેશાણીની શુભેચ્છા મુલાકાત લીધી હતી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજો તથા ભવનોમાં વિવિધ અભ્યાસક્રમમાં એનસીસીનો ઈલેકટીવ વિષય દાખલ કરવા અંગે તેઓએ કુલપતિશ્રી તથા ઉપકુલપતિશ્રી સાથે મીટીંગમાં ચર્ચા વિચારણા કરી. મેજર જનરલ અરવિંદ કપુર તથા ગ્રુપ કમાન્ડર એન.સી.સી. રાજકોટના બ્રિગેડીયર એસ.એન. તીવારીએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પરિસર નિહાળી પ્રસન્નતા વ્યકત કરી. આ પ્રસંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલસચિવશ્રી નીલેશભાઈ સોની, હિરેન વ્યાસ, પૂર્વ એન.સી.સી. કેડેડ તથા એન.સી.સી.ના ડો. એમ.એસ. ચારણ ઉપસ્થિત રહ્યા હતા તે સમયની તસ્વીર.

(3:09 pm IST)