Gujarati News

Gujarati News

News of Monday, 9th August 2021

ગુજરાત બાર કાઉ. દ્વારા રાજકોટના ૧૬ નવનિયુકત વકીલોને સનદ અપાઇ : પૂર્વ ચેરમેન દ્વારા સન્માન કરાયું

રાજકોટ, તા. ૯ :  ગુજરાત બાર, કાઉન્સીલ દ્વારા રાજકોટના યુવા જયદેવસિંહ રાજેન્દ્રસિંહ ઝાલા સહિત ૧૬ વકીલો વકીલાત પ્રેકટીશ માટેની સનંદ ઇસ્યુ કરેલ છે.

જેઓ વકીલ તરીકે પ્રેકટીસ કરવા માટે સનંદ આપવામાં આવેલ છે તેમાં જયદેવસિંહ ઝાલા ઉપરાંત રૂદ્રા અરૂણભાઇ ભટ્ટ, સમ્રાટ આર. ઉપાધ્યાય જેનીસ એચ. ગોહેલ, સચીન પરેજીયા, અલવીરા કચરા, યશરાજસિંહ ચાવડા, વિપુલ હડીયા, મીલન, દુધાતરા, હષીલ પીપળીયા, ગૌતમ કોટડીયા, પ્રિયા પરેશા, કુલદીપ બારલ, યશપાલ ડાંગરીયા, પાર્થ કોટક અને સાગર પટેલનો સમાવેશ થાય છે.

રાજકોટ શહેરના ઉપરોકત ૧૬ વકિલોએ બાર. કાઉન્સીલ ઓફ ગુજરાતમાં એનરોલમેન્ટ કરાવેલ હોય આ નવનિયુકત વકીલોનું બાર કાઉ. ઓફ ગુજરાતના પૂર્વ ચેરમેનશ્રી દિલીપભાઇ પટેલ દ્વારા બુકે આપી આવકાર્યા હતાં.

આ ઉપરાંત કલેઇમ બારના પ્રમુખ રાજેશ મહેતા તથા રેવન્યુ બારના રાજેન્દ્રસિંહ ઝાલાએ આવકારેલ હતાં.

(3:02 pm IST)