Gujarati News

Gujarati News

News of Monday, 9th August 2021

રાજકોટ બાર એસો.ના પુર્વ પ્રમુખ સંજયભાઇ વ્યાસનો જન્મદિવસ

રાજકોટ, તા., ૯: રાજકોટ બાર એસોસીએસનના પુર્વ પ્રમુખ એડવોકેટ-નોટરી સંજયભાઇ વ્યાસનો આજે જન્મદિન છે આજે જીવનના ૬૧ વર્ષની મંજીલ કાપી ૬રમાં વર્ષમાં પ્રવેશ કરી રહયા છે તેમનો જન્મ તા.૯-૮-૧૯૬૦ના રોજ થયેલ છે.

સંજયભાઇ વ્યાસ જામનગર જીલ્લાના ઓખા મુકામે પ્રાથમીક અભ્યાસ બાદ કોલેજ કાળનો અભ્યાસ રાજકોટમાં પુર્ણ કર્યા બાદ ૧૯૮૫ થી રાજકોટ બાર એસોસીએશનના સભ્ય તરીકે વકીલાતની કારકીર્દી શરૂ કરેલ અને રાજકોટ બારમાં ર૦૧૬ સુધીમાં ૧૭ વખત ચુંટાઇ આવીને કારોબારી સભ્ય, ખજાનચી, જો.સેક્રેટરી, ઉપપ્રમુખ, સેક્રેટરી તથા ર૦૧૦માં પ્રમુખ તરીકેની જવાબદારી નીભાવેલ અને સફળ રીતે અનેક પ્રોગ્રામો આપેલ. વકીલોના ચાલતા રાજકોટ બાર એશો. એડવોકેટ વેલફેર ફંડના ખજાનચી તરીકે સફળ કામગીરી બજાવેલ છે.

સંજયભાઇ વ્યાસ સને ૨૦૧૬માં રાજકોટ બાર એસોસીએશનના ઇલેકશનમાં બાર એસોસીએશનના ઇતિહાસમાં સૌથી વધુ જંગી મતની લીડથી પ્રમુખ તરીકે વિજેતા થયેલ અને તેઓની પેનલને પણ જંગી બહુમતીથી ચુટી કઢાવેલ તેઓએ પ્રમુખ તરીકે સને ર૦૧૬માં રાજકોટ મુકામે હેમુ ગઢવી હોલમાં તારીખ ૧-પ-ર૦૧૬ના રોજ સમગ્ર  ગુજરાતના વકીલો માટે જુદા જુદા કાયદાકીય વિષયો ઉપર લીગલ સેમીનારનું સફળ આયોજન કરેલ.

સંજયભાઇ વ્યાસ ભારતીય જનતા પક્ષના કાર્યકર તરીકે હાલના વોર્ડ નં. ૩ જુના વોર્ડ નં. ૧૮ તથા ૧૩ માં કોર્પોરેશન, ધારાસભા, લોકસભા વિગેરેની ચુંટણીમાં ચુંટણી ઇન્ચાર્જ તરીકે તથા વોર્ડમાં વોર્ડ ઇન્ચાર્જ તરીકે તથા યુવા મોરચામાં ઉતરઝોન ઇન્ચાર્જ તરીકે સફળતા પુર્વક ફરજ બજાવી ચુકેલ છે. રાજકોટ શહેર ભાજપમાં ઇલેકશન લીગલ શેલમાં સહ કન્વીનર તથા સોશીયલ મીડીયા ઇન્ચાર્જ તરીકેની પણ ફરજ બજાવેલ.

સંજયભાઇ વ્યાસ ઔદિચ્ય બ્રાહ્મણ ખરેડી સમવાય જ્ઞાતિ મંડળ રાજકોટમાં ચાર વર્ષ સુધી સેક્રેટરી તરીકે પણ ફરજ બજાવેલ છે.

સંજયભાઇ વ્યાસ એ નેગેટીવ બ્લડ કે જે જુજ વ્યકિતઓને હોય છે તે બ્લડ ગૃપ ધરાવતા હોઇ અત્યાર સુધીમાં પ૯ વાર બ્લડ ડોનેટ કરી જરૂરીયાત મંદ લોકોને તથા બ્લડ બેન્કોમાં બ્લડ ડોનેટ કરેલ છે.

સંજયભાઇ વ્યાસ તેઓના મીલનસાર સ્વભાવથી વકીલોમાં તથા મિત્ર વર્તુળમાં 'ચાકુ'ના હુમલામણા નામે પ્રસિધ્ધ છે. આજ રોજ તેમના જન્મદિવસ નીમીતે સગા સંબંધીઓ તથા મિત્ર વર્તુળ તરફથી તેઓને જન્મદિનની હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવેલ છે તેમના મોબાઇલ નં. ૯૪ર૭ર ૨૧૯૯૭ છે.

(1:26 pm IST)