Gujarati News

Gujarati News

News of Monday, 9th August 2021

સત્યસાંઇ હાર્ટ હોસ્પિટલ ખાતે જુના યુગલા (ઉના)ના ભાણજીભાઇ ડાંગોદરાનું વિનામુલ્યે સફળ ઓપરેશન

શ્રી સત્ય સાઈ હાર્ટ હોસ્પિટલ દર્દી ભાણજીભાઇ

 રાજકોટઃ 'દિલ વિધાઉટ બીલ' ના નામે જાણીતી શ્રી સત્ય સાંઈ હાર્ટ હોસ્પિટલ, રાજકોટ છેલ્લાં ૨૦ વર્ષથી સ્વાસ્થ્ય ક્ષેત્રે સેવાની અનોખી સુવાસ ફેલાવી રહી છે. આ હોસ્પિટલે હ્નદયરોગના ગરીબ દર્દીઓને વિનામુલ્યે નવજીવન આપીને અનન્યક્ષેત્રે ઉદાહરણ પૂરું પાડ્યું  છે.આ હોસ્પિટલમાં પુખ્ત અને બાળકોના તમામ પ્રકારના હૃદયના ઓપરેશન વિનામૂલ્યે થાય છે. જેનો લાભ ભારતના તમામ રાજ્યોના ગરીબ હૃદય રોગના દર્દીઓ છેલ્લા ૨૦ વર્ષ થી મેળવી રહ્યા છે.અત્યાર સુધીમાં ૧૦,૦૦,૦૦૦ થી વધારે દર્દીઓની ઓપીડીમાં સારવાર કરવામાં આવી છે, અને ૨૦,૦૦૦થી વધારે હૃદય રોગના ઓપરેશનો નિઃશુલ્ક કરવામાં આવ્યા છે.

 શ્રી સત્ય સાઈ હાર્ટ હોસ્પિટલ, રાજકોટ (કાલાવડ રોડ) આર્થીક રીતે નબળા વર્ગના લોકો માટે વિનામુલ્યે ઓપરેશન થાય છે આસાથે મુખ્યમંત્રી અમૃતમ વાત્સલ્ય યોજના, માઁ યોજના તથા આયુષ્માન ભારત યોજના નો લાભ પણ હૃદયરોગના દર્દીઓને આપવામાં આવે છે .  આવા જ એક દર્દી ભાણજીભાઇ ઉકાભાઇ ડાંગોદરા ઉમર વર્ષ ૬૨,ગામઃ- જુના યુગલા , તાલુકોઃ-ઉના, જીઃ-ગીરસોમનાથ નિદાન માટે આવેલ હતું.   દર્દીના કુટુંબમાં પતિ,પત્ની ૨વ્યકિત છે. દર્દી ખેતીકામ કરે છે.  આ દર્દીને હદયની બીમારી આશરે ૬ મહિનાથી છે. ઉનામાં આવેલી એક હોસ્પિટલમાં બતાવતા તેઓએ  શ્રી સત્ય  સાંઈ હાર્ટ હોસ્પિટલ, રાજકોટ નિદાન માટે જવા દર્દીને જણાવેલ હતું.

આ દર્દીની જરૂરી તપાસ અને રિપોર્ટ્સ પછી ઓપરેશન  માટે દાખલ કરેલ હતું. આ દર્દીની ૩ નળી  બ્લોક  હતી.તેથી હૃદયરોગનો હુમલો આવેલ હતો. દર્દીના  હૃદયનું પમ્પીંગ નબળું  પડવા લાગેલ હતું. તથા છાતીમાં દુખાવોને શ્વાસ લેવામાં તકલીફ થતી હતી. આ દર્દીનું બાયપાસ ઓપરેશન વિનામૂલ્યે સફળતાપૂર્વક કરવામાં આવેલ હતું. અને દર્દી સંપૂર્ણપણે સ્વસ્થ થયા  બાદ તા.૬.૮.૨૦૨૧ના રોજ રજા આપવામાં આવી હતી.

(12:15 pm IST)