Gujarati News

Gujarati News

News of Monday, 9th August 2021

રાજકોટ શહરે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા સાયબર ગુના નિવારણ લોક દરબારનું આયોજન

dir="ltr">
રાજકોટ : રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સરકારના સુશાસનના પાંચ વર્ષ પૂર્ણ થયેલ હોય જે અન્વયે સરકારે 1 ઓગસ્ટથી 9 ઓગસ્ટ સુધી વિવિધ કાર્યક્રમો યોજી સુશાસન દિવસની ઉજવણી કરવા નીર્ધાર કરેલ જેમાં અલગ અલગ દિવસોના રોજ જન ઉપયોગી સેવાઓને વધુ સઘન બનાવવા અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરેલ જેમાં સરકાર દ્વારા તા.7ના રોજ વિકાસ દિવસની ઉજવણી કરવામાં આવેલ જે અંતર્ગત રાજકોટ શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલના માર્ગદર્શન હેઠળ  તા.૦૭/૦૮/૨૦૨૧ ના રોજ રાજકોટ શહેર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા લોકોમાં સાયબર ક્રાઇમ પ્રત્યે જાગ્રતુતાઆવે તે માટે સાયબર ગુના નિવારણ લોક દરબારનું આયોજન અટલ બિહારી  બાજપાઇ ઓડીટોરીયમ પેડક રોડ રાજકોટ ખાતે કરવામાં આવેલ જેમાં રાજકોટ શહેરના તમામ એ,સી,પી, તેમજ પોલીસ સ્ટેશનના પો.ઇન્સ,તથા પોલીસ સ્ટાફના માણસો તેમજ શહેરના સાયબર ગુરુ,સાયબર વોરિયર,સાયબર વોલેન્ટિયર હાજર રહેલ
 આ કાર્યક્રમની રૂપરેખા જોતા ડી,સીપી ઝોન-1 પ્રવિણકુમાર મીણા , ડી.સી.પી. ઝોન-૨રી મનોહરસિંહ જાડેજા તથા રાજકોટ ઇન્ફોરમેશન ટેકનોલોજી એશોસીએશન(રીટા) ના પ્રમખુ જયદિપભાઇ નંદાણીયા,તથા જી.ટીયુ,ના પ્રોફેસર દિપક ઉપાધ્યાય તથા પ્રોફેસર જયદેવભાઇ વાળા,દ્વારા અરજદારોને તથા પોલીસ કર્મચારીઓને સાયબર ક્રાઇમ કેસ કેમ અટકાવી શકાય તે બાબતે માર્ગદર્શન આપવામાં આવેલ હતું,
આ ક્રાયક્રમમાં સાયબર ફ્રોડના ભોગ બનેલાઓની અરજીઓ સ્થળ પર જ લેવામાં આવેલ હતી,તેમજ તમામ પોલીસ સ્ટેશનમાંથી પધારેલ પોલીસ અધિકારીઓને સાયબર ક્રાઇમને લગતી અરજી બાબતે શું કાર્યવાહી કરવી તે બાબતે માર્ગદર્શન પૂરું પાડવામાં આવેલ હતું

 
(9:05 pm IST)