Gujarati News

Gujarati News

News of Tuesday, 9th March 2021

કાલે કલેકટરનું બોર્ડઃ ૧૭ કેસ અને બે ચૂકાદાઃ ચૂંટણી બાદ પ્રથમ સુનાવણી

રાજકોટ તા. ૯: ચૂંટણીના કારણે છેલ્લા એક મહિનાથી બંધ અને મુલત્‍વી રહેલ કલેકટરશ્રીનું અપીલ-મહેસુલના કેસો અંગે કાલે બોર્ડ મળનાર છે.

સવારે ૧૧ વાગ્‍યાથી કેસોની સુનાવણી હાથ ધરાશે, તેમાં ૧૭ કેસમાં સુનાવણી અને બે માં ચુકાદા અપાશે, ચુકાદા તકરારી અંગેના છે. દરમિયાન એક મહિના બાદ બોર્ડ મળી રહ્યું હોય, અરજદારો-વકીલોએ રાહતનો શ્‍વાસ લીધો છે, અમુક કેસોમાં તો લાંબા સમયથી દલીલો ચાલી રહી છે.

(3:48 pm IST)