Gujarati News

Gujarati News

News of Thursday, 8th March 2018

બેંક કર્મચારી જગદીશભાઇ દવેનું ચક્કર આવ્યા બાદ મોત

ભીડભંજન સોસાયટીના બ્રાહ્મણ પરિવારમાં શોક

રાજકોટ તા. ૮: યુનિવર્સિટી રોડ પર ભીડભંજન સોસાયટીમાં 'માતૃઆશિષ' ખાતે રહેતાં અને બેંક ઓફ ઇન્ડિયાની મેટોડા બ્રાંચમાં ફરજ બજાવતાં જગદીશભાઇ શાંતિલાલ દવે (બ્રાહ્મણ) (ઉ.૫૯)નેરાત્રે અગિયારેક વાગ્યે ઘરે હતાં ત્યારે ચક્કર આવતાં બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ તેમનું મૃત્યુ નિપજ્યું હતું.

 

હોસ્પિટલ ચોકીના જગુભા ઝાલા અને ધીરેનભાઇ ગઢવીએ યુનિવર્સિટી પોલીસને જાણ કરતાં જરૂરી કાર્યવાહી કરાઇ હતી. મૃત્યુ પામનારને સંતાનમાં બે પુત્ર છે. બનાવથી સાથી કર્મચારીઓ અને સ્વજનોમાં શોક છવાઇ ગયો હતો. (૧૪.૬)

(10:35 am IST)