Gujarati News

Gujarati News

News of Thursday, 8th March 2018

થાઇરોઇડની બિમારીથી કંટાળી સાલ પીપળીયાના વણકર મહિલા સળગ્યાઃ પતિ પણ દાઝી ગયા

મંજુલાબેન પરમાર (ઉ.૩૮) અને પતિ માવજીભાઇ પરમાર (ઉ.૪૨)ને રાજકોટ ખસેડાયા

રાજકોટ તા.૮: પડધરીના સાલપીપળીયા ગામે રહેતાં વણકર મહિલાએ સવારે પાંચેક વાગ્યે અગ્નિસ્નાન કરી લેતાં ઠારવાર જતાં પતિ પણ દાઝતાં બંનેને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.

મંજુલાબેન માવજીભાઇ પરમાર (ઉ.૩૮) નામના વણકર મહિલાએ સવારે પાંચેક વાગ્યે અગ્નિસ્નાન કરી લેતાં પતિ માવજીભાઇ વાઘજીભાઇ પરમાર (ઉ.૪૨) ઠારવા જતાં તે પણ દાઝી જતાં બંનેને પુત્ર કમલેશે સારવાર માટે રાજકોટ ખસેડ્યા છે. હોસ્પિટલ ચોકીના જગુભા ઝાલા અને ધીરેનભાઇ ગઢવીએ જરૂરી કાર્યવાહી કરી પડધરી પોલીસને કાગળો મોકલ્યા છે.

માવજીભાઇ, તેના પત્નિ અને પુત્ર કમલેશ કારખાનામાં કામ કરી ગુજરાન ચલાવે છે. મંજુલાબેને હોસ્પિટલના બિછાનેથી જણાવ્યું હતું કે પોતાને ઘણા સમયથી થાઇરોઇડની બિમારી છે જેની દવા-સારવાર ચાલુ હોવા છતાં ફરક પડતો ન હોઇ કામ પણ કરી શકતા ન હોઇ કંટાળી જઇ આ પગલુ ભર્યુ હતું. પડધરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. (૧૪.૬)

(10:34 am IST)