Gujarati News

Gujarati News

News of Thursday, 9th February 2023

રામવનમાં રામનવમીએ સીની. સીટીઝન અને બાળકોને એન્‍ટ્રી ફ્રી

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા દેશભરમાં સૌપ્રથમ વખત મર્યાદાપુરૂષોત્તમ ભગવાન શ્રીરામના જીવનચરિત્રના પ્રસંગોને આલેખતી વિશાળ પ્રતિમાઓ સહિતના ‘રામવન' નું નિર્માણ કરવામાં આવેલ છે.

‘રામવન'માં વધુને વધુ બાળકો ભગવાન શ્રીરામના જીવનચરિત્રના પ્રસંગોમાંથી પ્રેરણા મેળવે તેમજ બાળકોને તેમના દાદા-દાદી તથા નાના-નાની ના ભગવાન શ્રીરામ પ્રત્‍યેના ભક્‍તિભાવથી અવગત કરવાના ઉમદા હેતુથી દર વર્ષે રામનવમીના દિવસે ‘રામવન' માં ૧૨ વર્ષ કે તેથી નાના બાળકોને તેમજ સિનિયર સીટીઝનને નિઃશુલ્‍ક પ્રવેશ આપવાનું મંજુર કરવામાં આવેલ છે.

(4:44 pm IST)