Gujarati News

Gujarati News

News of Friday, 9th February 2018

નાકરાવાડીમાં બાળલગ્ન અટકાવાયા

 રાજકોટ : નાકરાવાડી વિસ્તારમાં કોળી પરિવારમાં બાળલગ્ન યોજાવવાના હોવાની જીલ્લા સમાજ સુરક્ષા અધિકારી કનકસિંહ ઝાલાને અરજીરૂપે ફરીયાદ મળી હતી, જેના આધારે કનકસિંહ ઝાલા, એમ.એન. ગોસ્વામી, એ.એસ. વાઘેલા, અમ.પી. પંડીત, અલ્પેશગીરી ગોસ્વામી, પલકરાજ જાડેજા અને મિત્સુબેન વ્યાસ સહિતે નાકરાવાડીમાં દરોડો પાડી સગીરા અને બેડી ગામના સગીરના લગ્ન થતા અટકાવ્યા હતા અને બાળલગ્ન અટકાયત અધિનિયમ હેઠળ ગુન્હો દાખલ કરી કાર્યવાહી કરી હતી.

(4:53 pm IST)