Gujarati News

Gujarati News

News of Monday, 8th August 2022

હિન્‍દુ મુસ્‍લીમ જનતાને જંગલેશ્વરમાં પધારવા આમંત્રણ પાઠવતા લીંગડીયા તથા હેરંજા

સોમવારે તાજીયા પડમા આવશે અને મંગળવારે ઠંડા થશે

રાજકોટ તા.૬: મુસ્‍લીમ યુવા અગ્રણી ઇકબાલ લીંગડીયા તથા યુવા ધારાશાષાી હુસેન હેરંજા એક યાદીમાં જણાવે છે કે ઇસ્‍લામ ધર્મના મહાન સ્‍થાપક હઝરત મહમ્‍મદ પૈગમ્‍બર સાહેબના દોહીત્ર, હઝરત ઇમામ હુસેન અને તેના ૭૨ સાથીદારોએ વ્‍હોરેલી શહાદતની યાદમાં મનાવાતા મહોરમમાં તાજીયા સોમવારે સાંજે પડમા આવશે તેમજ મંગળવારે રાત્રીના ઠંડા થશે, આ તહેવાર નિમિતે રાજકોટની ધર્મ પ્રિય હિન્‍દુ મુસ્‍લીમ જનતાને જંગલેશ્વર વિસ્‍તારમાં પધારવા આમંત્રણ છે.

 વધુમાં મહોરમના તાજીયાનો તહેવારો અમન અને શાંતીના ભાઇચારા સાથે એખલાસ ભર્યા વાતાવરણમાં મહોબતથી ઉજવવા હિન્‍દુ મુસ્‍લીમ જનતાને અનુરોધ કરેલ છે.જંગલેશ્વર વિસ્‍તારમાં બનતા કલાત્‍મક તાજીયા સતત ૨૧માં વર્ષે માતમમાં જ રહેશે. તેમજ જંગલેશ્વર વિસ્‍તારમાં ઠેર ઠેર રોશની દ્વારા જન્નત (સ્‍વર્ગ) નો ભાસ ઉભો કરવામાં આવેલ છે તેનો લ્‍હાવો લેવા રાજકોટની હિન્‍દુ મુસ્‍લીમ જનતાને જંગલેશ્વર વિસ્‍તારમાં પધારવા યાદીમાં અનુરોધ કરવામાં આવે છે. 

(3:41 pm IST)