Gujarati News

Gujarati News

News of Monday, 8th March 2021

રાષ્ટ્રસંત પૂ. નમ્રમુનિ મા.સા.નું મોતીયાનું સફળ ઓપરેશન

ગુરૂભકત તરફથી ૫૧ વ્યકિતઓને ડો. ધ્રુવની હોસ્પિટલમાં નિઃશુલ્ક મોતીયાનું ઓપરેશન કરાવી અપાશે

રાજકોટ તા. ૮ : રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબની ડાબી બાજુની આંખનું મોતીયાનું ઓપરેશન રાજકોટ ખાતે સફળતાપૂર્વક સંપન્ન થયેલ છે.

ગોંડલ સંપ્રદાયના અગ્રણી પ્રવિણભાઈ કોઠારી,ચંદ્રકાન્તભાઈ શેઠ તથા રાજકોટ જૈન સમાજના અગ્રણી ડોલરભાઈ કોઠારી, ઉપેનભાઈ મોદી, પરેશભાઈ સંઘાણી, હિતેનભાઈ મહેતા,તપસ્વી કેતનભાઈ શેઠ, પ્રતાપભાઈ વોરા, તુષારભાઈ મહેતા, સુશીલભાઈ ગોડા, સંજયભાઈ શેઠ, અલ્પેશભાઈ મોદી, અજયભાઈ શેઠ, નીતિનભાઈ ગોડા, તનસુખભાઈ સંઘવી, મનોજ ડેલીવાળા વગેરે ઉપસ્થિત રહેલ. મુંબઈના ગુરૂ ભકત મુળરાજભાઈ છેડા, જુનાગઢના વી.એસ.દામાણી, ગોંડલના વિજયભાઈ દોશી સહિત અનેક ભાવિકો ઉપસ્થિત રહેલ. દેશ - વિદેશના અનેક ભાવિકોએ શુભ ભાવના વ્યકત કરેલ કે પરમ ગુરુદેવે અનેકોનેક આત્માઓને જ્ઞાનરૂપી પ્રકાશ આપી અજ્ઞાનરૂપી અંધારા દુર કરી અનંતો ઉપકાર કર્યો છે. ચતુર્વિધ સંઘમાં સમ્યક્ જ્ઞાનની રોશની અને ઉજાસ ફેલાવતા રહો તેવા શુભ ભાવ વ્યકત કરેલ.

પરમ ગુરૂદેવની આંખનું ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન થયેલ છે તે ઉપલક્ષે જરૂરિયાતમંદ ૫૧ વ્યકિતઓને ડો.ધ્રુવની હોસ્પિટલમાં ગુરુ ભકત તરફથી નિઃશૂલ્ક મોતીયાનું ઓપરેશન કરાવી આપવામાં આવશે. જેની વ્યવસ્થા અર્હમ્ યુવા સેવા ગ્રુપના તુષારભાઈ મહેતા (૯૪૨૮૨ ૬૬૦૮૬), ડોલરભાઈ કોઠારી (૯૮૨૫૩ ૧૭૩૩૩), ઉપેનભાઈ મોદી- (૯૮૨૪૦ ૪૩૧૪૩) સંભાળશે.

દેવ, ગુરૂ અને ધર્મની કૃપાથી પરમ ગુરુદેવ સ્વસ્થ છે. તા. ૦૭ ના બપોરે ૪ કલાકે હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ મળ્યા બાદ પરમ ગુરૂદેવ રાજકોટના શ્રી ઉવસગ્ગહરં સાધના ભવનમાં સુખ શાતા પૂર્વક બિરાજમાન છે .

અત્રે ઉલ્લેખનીય છે ડો. અનિમેષ ધ્રુવ સાહેબને ગુરૂદેવ સાથે આત્મિયતાભર્યા સંબંધો છે.

જુનાગઢ ત્રણ વખત તેઓ દર્શને ગયેલ અને પરમ ગુરૂદેવને આંખની સારવાર માટે રાજકોટ પધારવા નમ્ર ભાવે વિનંતી કરેલ. ડો. ધ્રુવ સાહેબે રવિવારના રજાના દિવસે પૂ.ગુરુદેવને કાળજી અને સુખશાતાપૂર્વક આંખનું ઓપરેશન સુખરૂપ કરેલ છે. ડો.હિતેષભાઈ પારેખ તથા ડો.તેજસભાઈ ચૌધરીની સેવા વૈયાવચ્ચ પ્રશંસનીય રહેલ.

(3:24 pm IST)