Gujarati News

Gujarati News

News of Monday, 8th March 2021

ગાંધીધામનાં સુંદરદાસધામ શિવાનીએ એસીડ પી લેતા રાજકોટમાં મોત

શખ્સોના ત્રાસથી કંટાળી પગલુ ભર્યાનો આક્ષેપ

રાજકોટ,તા. ૮: ગાંધીધામ ભારતનગર પાસે એકતા સોસાયટીમાં રહેતા યુવાને એસીડ પી લેતા તેનુ રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મોત નિપજ્યુ હતું.

મળતી વિગત મુજબ ગાંધીધામ એકતા સોસાયટીમાં રહેતા સુંદરદાસભાઇ નયનદાસભાઇ શિવાની (ઉવ.૪૬) ત્રણ દિવસ પહેલા પોતાના ઘરે એસીડ પી લેતા તેને સારવાર માટે રાજકોટની ગોકુલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. ત્યાં ગઇ કાલે તેનું સારવાર દરમ્યાન મોત નિપજ્યુ હતું. આ બનાવમાં યુવાને કેટલાક શખ્સોના ત્રાસથી કંટાળી આ પગલુ ભર્યું હોવાનો આક્ષેપ કર્યો છે. આ બનાવ અંગે એ ડીવીઝન પોલીસ મથકના હેડ કોન્સ. રાજુભાઇએ પ્રાથમીક કાગળો કરી ગાંધીધામ મોકલ્યા છે.

(3:20 pm IST)