Gujarati News

Gujarati News

News of Monday, 8th March 2021

11મીએ મહાશિવરાત્રી નિમિતે રાજકોટમાં તમામ પ્રકારના કતલખાના બંધ રાખવા આદેશ : જાહેરનામું

માંસ ,મટન,મચ્છી અને ચિકનનું વેચાણ કે સ્ટોર કરવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડતા મ્યુનિ, કમિશનર ઉદિત અગ્રવાલ

રાજકોટ : આગામી 11મી માર્ચે મહાશિવરાત્રી નિમિતે રાજકોટ મહાનગર પાલિકા વિસ્તરામાં  તમામ પ્રકારના કતલખાના બંધ રાખવા તેમજ  માંસ ,મટન,મચ્છી અને ચિકનનું વેચાણ કે સ્ટોર કરવા પર પ્રતિબંધ  ફરમાવતું જાહેરનામું મ્યુનિ, કમિશનર ઉદિત અગ્રવાલ દ્વારા બહાર પાડયું છે

 સંબંધકર્તા સૌએ આ જાહેરનામાની અમલવારી ચુસ્તપણે કરવી અને જાહેરનામાનો ભંગ કરનાર સામે જીપીએસસી એક્ટ 1949 અન્વયે કાર્યવાહી કરવામાં આવશે

(12:03 am IST)