Gujarati News

Gujarati News

News of Saturday, 7th November 2020

મહાપરીષદના પ્રમુખપદ સંદર્ભે

અખિલ ગુજરાત કચ્છ વાગડ લોહાણા મહાજન દ્વારા નિમાબેન આચાર્યને ટેકો

રાજકોટ તા. ૭ : લોહાણા મહાપરીષદના નવા પ્રમુખપદ માટેના નામની ભલામણ મંગળવાર તા.૧૦ નવેમ્બરના રોજ વરણી સમિતિની મિટીંગમાં થવાની છે ત્યારે શ્રી અખિલ ગુજરાત કચ્છ વાગડ લોહાણા મહાજન દ્વારા લોહાણા મહાપરીષદના મહિલા વિભાગના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ ડો. નિમાબેન આચાર્યને પ્રમુખપદ સોંપવા પ્રવિણભાઇ કોટકને પત્ર દ્વારા માંગણી કરવામાં આવી છે. છેલ્લા ૩૦ વર્ષોથી વધુ સમયથી ડો. નિમાબેન આચાર્ય રાજકારણ-જાહેર જીવનમાં તથા સામાજીક કાર્યો-સંસ્થાઓ સાથે સંકળાયેલા હોય તેઓને લોહાણા મહાપરીક્ષદના પ્રમુખપદ માટે શ્રી અખિલ ગુજરાત કચ્છ વાગડ લોહાણા મહાજને સંપૂર્ણ ટેકો જાહેર કર્યો છે.
 

(3:30 pm IST)