Gujarati News

Gujarati News

News of Saturday, 7th November 2020

કોરોના કાળમાં કરકસરઃ મનપા દિવાળી કાર્ડ નહિ છપાવે

દર વર્ષે શાસક અને વિપક્ષનાં પદાધિકારીઓ ૩ હજાર કાર્ડ રૂ. ૬૩ હજારના ખર્ચે છપાવે છે

રાજકોટ તા. ૭ :.. સરકારનાં નાણા વિભાગના પરિપત્રને અનુલક્ષીને મ્યુ. કોર્પોરેશન આ વર્ષે દિવાળી કાર્ડ નહિ છપાવવાનો  નિર્ણય કરવામાં આવ્યો છે.

આ અંગેની પ્રાપ્ત માહિતી મુજબ મ્યુ. કોર્પોરેશનનાં શાસક અને વિપક્ષનાં પદાધિકારીઓ દ્વારા દર વર્ષે દિવાળી અને નૂતન વર્ષની શુભેચ્છા માટેના કાર્ડ છપાવવામાં આવે છે. પરંતુ આ વર્ષે રાજય સરકારના નાણા વિભાગ દ્વારા સરકારી ખર્ચે ગ્રીટીંગ્સ કાર્ડ છપાવવા પર પ્રતિબંધ મુકવાનાં પરિપત્રને અનુલક્ષીને મ્યુ. કોર્પોરેશન દ્વારા આ વર્ષે દિવાળી કાર્ડ નહિ છપાવવાનો નિર્ણય કર્યો છે. અત્રે નોંધનીય છે કે, શાસકોના મેયર સહિતનાં પાંચેય પદાધિકારીઓના નામના રપ૦૦ તથા વિરોધ પક્ષના નેતાના નામના પ૦૦ સહિત અંદાજીત ૩ હજાર કાર્ડ રૂ. ૬૩ હજારના ખર્ચે છપાવવામાં આવે છે.

(3:27 pm IST)