Gujarati News

Gujarati News

News of Saturday, 7th August 2021

રાજકોટ-સોમનાથ અને પોરબંદર-કાનાલુસ સ્પેશ્યલ ટ્રેનો ફરી શરૂ

રાજકોટ, તા. ૭ :. મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખી રાજકોટ ડિવીઝન દ્વારા રાજકોટ-સોમનાથ અને પોરબંદર-કાનાલુસ (અનરીઝર્વડ) સ્પેશ્યલ ટ્રેનો ફરીથી શરૂ કરવાનો નિર્ણય લેવાય છે. ટ્રેન નં. ૯૫૨૧ રાજકોટ-સોમનાથ દરરોજ સાંજે રાજકોટથી ૬.૦૫ વાગ્યે ઉપડી રાત્રે ૧૧.૨૫ વાગ્યે સોમવાથ પહોંચશે. જ્યારે વળતી ટ્રીપ બીજે દિવસે વહેલી સવારે ૪.૩૫ વાગ્યે સોેમનાથથી ઉપડી સવારે ૯.૪૫ વાગ્યે રાજકોટ પહોંચશે. આ ટ્રેનો ૧૬ ઓગષ્ટ અને ૧૭ ઓગષ્ટથી નવી સૂચના મળ્યા સુધી ચાલુ રહેશે.

આવી જ રીતે ટ્રેન નં. ૦૯૫૧૬ અને ૦૯૫૧૫ પોરબંદર-કાનાલુસ, કાનાલુસ-પોરબંદર દરરોજ સવારે ૧૦.૨૫ વાગ્યે પોરબંદરથી ઉપડી બપોરે ૧૨.૫૦ વાગ્યે કાનાલુસ પહોંચશે અને કાનાલુસથી બપોરે ૩ વાગ્યે ઉપડી તે દિવસે સાંજે ૫.૧૫ વાગ્યે પોરબંદર પહોંચશે. આ બન્ને ટ્રેનો ૧૬મી તારીખથી નવી સૂચના સુધી ચાલુ રહેશે.

(3:18 pm IST)